'બાબા કા ઢાબા'ના માલિક કાંતા પ્રસાદ હોસ્પિટલથી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. આગાઉ તેમને આપઘાતનો પ્રયત્ન કર્યો હતો, જોકે હવે સારવાર મેળવ્યા બાદ તે સ્વસ્થ છે.
17 જૂને આપઘાતનો કર્યો હતો પ્રયત્ન
દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં હતા દાખલ.
ગૌરવ વાસન વિરુધ નોંધાવી હતી F.I.R
દિલ્હીમાં પ્રખ્યાત 'બાબા કા ઢાબા' ચલાવનાર કાંતા પ્રસાદ હોસ્પિટલથી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. અહેવાલ મુજબ, 17 જુને તેમને ઊંઘની ગોળી ખઈને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારબાદ બેભાન અવસ્થામાં તેમને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન કાંતા પ્રસાદની હાલત એટલી કથળી ગયી હતે કે, તેમને વેન્ટીલેટર પર રાખવા પડ્યા હતા. ત્યારબાદ તેમને ICUમાં પણ શિફ્ટ કરવામાં આવ્યા હતા. તેમની સારવાર કરી રહેલા ડૉક્ટરોએ જણાવ્યું હતું કે, હવે કાંતા પ્રસાદ સપૂર્ણ રીતે સ્વસ્થ છે, તેથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
કેમ ખાધી હતી ઊંઘની ગોળી?
હોસ્પિટલથી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા બાદ કાંતા પ્રસાદે કેટલાક યુટ્યુબર પર હેરાનગતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. કાંતા પ્રસાદે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, યુટ્યુબ ચેનલથી સંકળાયેલા કેટલાક લોકો તેમને હેરાન કરી રહ્યા હતા. જેના કારણે તે ડીપ્રેશનમાં આવી ગયા હતા અને તેમને આપઘાતનું પગલું ભરવું પડ્યું હતું. કાંતા પ્રસાદે વધુમાં જણાવ્યું હતું કે, તેમના ઉપર યુટ્યુબર ગૌરવ વાસનની માફી માંગવા માટે વારંવાર દબાણ કરવામાં આવી રહ્યું હતું.
બાબા અને યુટ્યુબર ગૌરવ વાસન વચ્ચેના ઝઘડાંનો આવ્યો અંત
આ કેસમાં પોલીસ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બાબાના નિવેદન બાદ પોલીસ તેમને હેરાન કરનાર શખ્સોની તપાસ કરી રહી છે. ગયા વર્ષે યુટ્યુબર ગૌરવ વાસને 'બાબા કા ઢાબા'નો એક વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કર્યો હતો, જેમાં તેને લોકોથી બાબાના ઢાબામાં જમવાની અપીલ કરી હતી. તે વાયરલ વીડિયો કાંતા પ્રસાદ ખુબ જ ચર્ચામાં આવ્યા હતા.
ત્યારબાદ બાબા કા ઢાબા પર લોકોના ટોળા ઉમટ્યા હતા અને ઘણા લોકોએ બાબાને દાન પણ આપ્યું હતું. ત્યારબાદ કાંતા પ્રસાદે ગૌરવ વાસન વિરુદ્ધ F.I.R નોંધાવી હતી, જેમાં બાબાએ યુટ્યુબર ગૌરવ પર આક્ષેપ લગાવ્યો હતો કે, તે તેમના નામે આવતા પૈસા તેમને જ આપતો નહોતો. ત્યારબાદ કાંતા પ્રસાદે દિલ્હીમાં એક રેસ્ટોરન્ટ પણ ખોલી હતી, પરંતુ આવકના અભાવે તેને બંધ કરી દીધી હતી.