ઉત્તર પ્રદેશ પોલીસે 8 જવાનોની હત્યા કરનારા મુખ્ય આરોપી વિકાસ દુબેની કાનપુરમાં યુપી એસટીએફના એન્કાઉન્ટરમાં માર્યા જવાની ખબર છે. તેના મોતના સમાચાર સાંભળીને તેના ગામના લોકો ખુબ ખુશ છે. ગ્રામીણોએ કહ્યું કે એક આતંકી જતો રહ્યો. લોકોનું કહેવું છે કે વિકાસ દુબે 25 વર્ષથી એક જ કામ કરતો હતો. બીજાની જમીન પર કબ્જો મેળવવાનું તેમજ કોઈને પણ ઉઠાવી લેતો હતો.
વિકાસ દુબે 25 વર્ષથી બીજાની જમીન પર કબ્જો કરવાનું કામ કરતો
વિકાસ દુબે કોઈને પણ ઉઠાવી લેતો હતો
ગ્રામીણોએ કહ્યું કે એક આતંકી જતો રહ્યો
ઉલ્લેખનીય છે કે કાનપુરમાં 8 પોલીસકર્મીઓની હત્યા બાદ ફરાર વિકાસ દુબે પર 5 લાખનું ઈનામ હતુ. આ બાદ તે 7માં દિવસે ઉજ્જૈન મહાકાલના મંદિરમાંથી પકડાયો હતો. ફરીદાબાદ પોલીસ તેને શોધતી રહી અને તે ઉજ્જૈન પહોંચી ગયો હતો અને તે ઝડપાયો હતો. એવું મનાય છે કે તેણે સરેન્ડર કર્યુ છે.
#WATCH One of the vehicles of the convoy of Uttar Pradesh Special Task Force that was bringing back #VikasDubey from Madhya Pradesh to Kanpur overturned today morning. Following the accident, Dubey was killed in police encounter when he tried to flee. pic.twitter.com/AaZnDvmHHk
તેને ઉજ્જૈનથી કાનપુર લઈ જઈ રહ્યા હતા. ઉજ્જૈનથી વિકાસ દુબેને લઈને કાનપુર જઈ રહેલા પોલીસના કાફલાની એક કારને અકસ્માત થયો હતો તેવા અહેવાલ પ્રાપ્ત થયા. જેમાં એવી પણ આશંકા વ્યક્ત કરાઈ હતી કે આ કારમાં વિકાસ દુબે પણ સવાર હતો. જે કારને અકસ્માત થયો હતો. કાર રોડની સાઈડમાં પલટી ગઈ હતી. પોલીસનું માનીએ તો કેટલાક પોલીસ જવાનો પણ ઘાયલ થયા છે.
અકસ્માત બાદ વિકાસ દુબે પોલીસની પિસ્તોલ લઈને ફરાર થવાના પ્રયાસમાં હતો. આ દરમિયાન પોલીસ અને વિકાસ દુબે વચ્ચે ફાયરિંગ પણ થયું. આ દરમિયાન એન્કાઉન્ટરમાં વિકાસ દુબેને કમરમાં ગોળી વાગી હતી અને તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ડોકટરોએ વિકાસ દૂબેને મૃત જાહેર કર્યો.