કાનપુર IITના વરિષ્ઠ વૈજ્ઞાનિક પદ્મશ્રી પ્રો. મણીન્દ્ર અગ્રવાલનો દાવો છે કે કોરોનાની ત્રીજી લહેરની આશંકા હવે ના બરાબર છે.
ત્રીજી લહેરની આશંકા હવે ના બરાબર
ઓક્ટોબર સુધી દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 15 હજારની નજીક રહેશે
રસીકરણ મહામારીને રોકવામાં અસરકારક
ત્રીજી લહેરની આશંકા હવે ના બરાબર
ગત દોઢ વર્ષથી કોરોનાનો માર સહન કરી રહેલા લોકો માટે સારા સમાચાર છે. કાનપુર IITના વરિષ્ઠ વૈજ્ઞાનિક પદ્મશ્રી પ્રો. મણીન્દ્ર અગ્રવાલનો દાવો છે કે કોરોનાની ત્રીજી લહેરની આશંકા હવે ના બરાબર છે. તેમણે તેનું મોટું કારણ રસીકરણ હોવાનું જણાવ્યું છે. પ્રો. અગ્રવાલે ગણિતીય સૂત્ર મોર્ડલના આધાર પર આ દાવો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે સંક્રમણની સ્પીડ સતત ઓછી થઈ રહી છે. સાથે સાથે એમ પણ દાવો કર્યો છે કે ઓક્ટોબર સુધી યુપી, બિહાર, દિલ્હી અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યો સંક્રમણથી લગભગ મુક્ત થઈ જશે.
ઓક્ટોબર સુધી દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 15 હજારની નજીક રહેશે
પ્રોફેસર અગ્રવાલે પોતાની સ્ટડીમાં દાવો કર્યો છે કે ઓક્ટોબર સુધી દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 15 હજારની નજીક રહેશે. જેના કારણે તમિલનાડુ, તેલંગાણા, કેરળ, કર્ણાટક, આસામ, અરુણાચલ સહિત, પૂર્વોત્તર રાજ્યોમાં સંક્રમણની હાલની સ્થિતિ રહેશે. જો કે તેમનું કહેવું છે કે ત્રીજી લહેરની આશંકા હવે ના બરાબર છે. તેમણે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે ઓક્ટોબર સુધી ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, મધ્ય પ્રદેશમાં કોરોનાના એક્ટિવ કેસ એકાઈ અંક સુધી પહોંચી જશે.
રસીકરણ મહામારીને રોકવામાં અસરકારક
ઉલ્લેખનીય છે કે પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલ કોરોના મહામારી બાદ સતત પોતાની સ્ટડીના માઘ્યમથી સરકારને એલર્ટ કરતા રહ્યા છે. તેમના દ્વારા બીજી લહેરનો દાવો ઘણી હદ સુધી સાચો સાબિત થયો. પ્રો. અગ્રવાલના જણાવ્યાનુંસારા લોકડાઉન અને રસીકરણથી ઘણો લાભ જોવા મળી રહ્યો છે. બીજી લહેર બાદ મોટા ભાગના લોકોમાં હર્ડ ઈમ્યુનિટી બની ગઈ છે. ત્યારે તેજીથી ચાલી રહેલા રસીકરણની અસર પણ મહામારીને રોકવામાં અસરકારક રહેશે.