બ્રજ વિસ્તાર બાદ હવે ડેન્ગી અને વાયરલ ફીવર કાનપુર અને પ્રયાગરાજમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
કાનપુરમાં રોજના લગભગ 100 તાવના દર્દી હોસ્પિટલમાં આવે છે
પ્રયાગરાજમાં 97 દર્દીઓમાં ડેન્ગીની ખરાઈ થઈ
મંગળવારે કાનપુરમાં તાવથી ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો
કાનપુરમાં રોજના લગભગ 100 તાવના દર્દી હોસ્પિટલમાં આવે છે
કાનપુરમાં પ્રતિદિન લગભગ 100 તાવથી પીડિત દર્દી હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે. જ્યારે પ્રયાગરાડમાં 97 ડેંગૂના દર્દીઓ મળ્યા છે. સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે મામલા હજું વધી શકે છે જેને જોતા સુરક્ષાના તમામ ઉપાયો કરવામાં આવ્યા છે.
મંગળવારે કાનપુરમાં તાવથી ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો
કાનપુરના ઉર્સલા હોસ્પિટલના સીએમએસ ડો. અનિલ નિગમે જણાવ્યું કે પ્રતિદિન 75-100 તાવથી પીડિત દર્દી હોસ્પિટલ પહોંચી રહ્યા છે. રેપિડ ટેસ્ટમાં 2 દર્દીમાં ડેંગૂની ખરાઈ થઈ છે. પરંતુ એલિઝા ટેસ્ટમાં ડેન્ગી જોવા નથી મળ્યા. હાલમાં હોસ્પિટલમાં ડેન્ગીનો એક પણ દર્દી નથી. પરંતુ અન્ય હોસ્પિટલોની વાત કરીએ તો સ્થિત બગડતી નજરે પડી રહી છે. મંગળવારે કાનપુરમાં તાવથી ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. કાનપુરના કલ્યાણપુર બ્લોકના કરસૌલીની નિર્મલા (55), વૈભવી(8) અને અરૌલના શાંતિ(65) લોકોના મોત થયા છે.
પ્રયાગરાજમાં 97 દર્દીઓમાં ડેન્ગીની ખરાઈ થઈ
બીજી તરફ પ્રયાગરાજમાં ડેન્ગીના મામલા વધી રહ્યા છે. અત્યાર સુધીમાં 97 લોકોમાં ડેંગીની ખરાઈ થઈ છે જેની સારવાર ચાલી રહી છે. સારી વાત એ છે કે હજું પણ ડેન્ગીથી કોઈ પણ મોત નથી થયુ. સીએમઓ નાનક સરને જણાવ્યું કે હજું સુધી કુલ 97 દર્દી ડેન્ગીથી પીડિત મળ્યા છે. જેમાં 9ની સારવાર ચાલી રહી છે. જિલ્લામાં અત્યાર સુધી ડેન્ગીથી કોઈ મોત નથી થયુ. તેમણે કહ્યું કે શહેરમાં ડેન્ગીના મામલા હજુ વધવાની શક્યતા છે. જો નિયંત્રણમાં લેવા માટે શક્ય તેટલા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
મંગળવારે 16ના મોત
મંગળવારે કાનપુર અને બ્રજ વિસ્તારમાં 7 બાળકો સહિત વધુ 16 લોકોના મોત ડેન્ગી અને વાયરલ ફીવરના કારણે થયા છે. ફિરોઝાબાદમાં 6 બાળકો સહિત 9 કાસગંજમાં 3 , એટામાં એક અને કાનપુરમાં 3 લોકોના મોત થયા છે.