કાનપુર પોલીસે 2 રૂપિયા ટ્વિટના કથિત કૌભાંડમાં શામેલ બે આરોપિઓની ધરપકડ કરી છે.
યુપીના સીએમ યોગી વિરૂદ્ધ 2 રૂપિયામાં થતી હતી ટ્વીટ
ટ્વીટ કરવાના ઓડિયોની સચ્ચાઈ આવી સામે
યોગીના સપોર્ટમાં દરેક ટ્વીટ કરવા પર 2 રૂપિયા આપવાની વાત
યુપીના સીએમ યોગી આદિત્યનાથની સોશિયલ મીડિયા ટીમમાં કામ કરી રહેલા પાર્થ શ્રીવાસ્તવના મોતનો મામલો પુરો નથી થયો કે પૈસાની અવેજમાં ટ્વીટનો મામલો સામે આવી ગયો છે. હવે કાનપુર પોલીસે 2 રૂપિયા ટ્વિટના કથિત કૌભાંડમાં શામેલ બે આરોપિઓની ધરપકડ કરી છે. આ બન્ને આરોપી ઇન્ફોર્મેશન વિભાગના મીડિયા સેલમાં કામ કરતા હતા.
2 રુપિયા માટે ટ્વીટ કર્યા હોવાનો ઓડિયો વાયરલ
સોશિય મીડિયા પર સીએમ યોગી આદિત્યનાથના પક્ષમાં ટ્વીટ કરવા પર પૈસા આપવાનો એક કથિત ઓડિયો થોડા દિવસો પહેલા વાયરલ થયો હતો. તેમાં યોગીના સપોર્ટમાં દરેક ટ્વીટ કરવા પર 2 રૂપિયા આપવાની વાત હતી. દાવો છે કે આ ઓડિયો સીએમની સોશિયલ મીડિયા એકાઉન્ટ સંભાળતી ટીમના સદસ્યોની વચ્ચેની વાતચીતનો છે. દાવો તો એવો પણ છે કે અતુલ કુશવાહા નામનો વ્યક્તિ આ બધુ કરી રહ્યો હતો.
ત્યાર બાદ યોગી સરકારના વિરોધી તેને પ્રચારની ટૂલકિટનો ભાગ ગણાવવા લાગ્યા. ત્યાં જ અતુલ કુશવાહાએ આ ઓડિયો ક્લિપને નકલી ગણાવી. અતુલે 31 મેએ કાનપુરના કલ્યાણપુર પોલિસ્ટેશનમાં રિપોર્ટ પણ દાખલ કરાવ્યો. તેમાં આરોપ લગાવવામાં આવ્યો કે તેના નામ પર નકલી ઓડિયો તૈયાર કરવાનું કાવતરૂ ગઠવામાં આવ્યું છે. જણાવી દઈએ કે આ ઓડિયો ક્લિપને રિટાયર્ડ IAS અધિકારી સૂર્ય પ્રતાપ સિંહે પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેના લઈને FIR દાખલ કરવામાં આવી છે. પેલીસે તેમની પુછતાછ પણ કરી છે.
અતુલ કુશવાહાએ જલનમાં ઘડ્યુ કાવતરૂ
આ મામલામાં નવો ટ્વિસ્ટ ત્યારે આવ્યો, જ્યારે 6 જૂને કાનપુર પોલીસે 2 લોકોની ધરપકડ કરી. પોલીસે તેનું નામ હિમાંશુ સૈની અને આશીષ પાંડે જણાવ્યું છે. બન્ને લખનૈઉના જ રહેવાસી છે. પોલીસ તેમને આ સમગ્ર ઓડિયો કાંડના આરોપી ગણાવી રહી છે.
15 વર્ષના એક યુવક સાથે આ વાતચીત
પોલીસના હવાલેથી ખબર મળી કે આશીષ પાંડે અને હિમાંશુ સૈની બન્ને સુચના વિભાગમાં સોશિયલ મીડિયાનું કામ જોતી બેસિલ કંપની સાથે જોડાયેલા હતા. જોકે હવે બન્ને કંપની છોડી ચુક્યા છે. પોલીસનો દાવો છે કે હિમાંશુ સૈનીએ સોશિયલ મીડિયા પર સક્રિય બિહારના 15 વર્ષના એક યુવક સાથે આ સંપૂર્ણ વાતચીત કરી હતી. ત્યાર બાદ બે કોલ્સને મિક્સ કર્યા. અને અતુલ કુશવાહાના નામ પર સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા.
તેનું કારણ જણાવતા કાનપુર પોલીસ કમિશ્નરે કહ્યું કે તપાસથી ખબર પડી કે કુશવાહા અને પાંડે સોશિયલ મીડિયા પર પ્રમોશનનું કામ કરતા હતા અને એક બીજાના કમ્પીટીટર હતા. બદનામ કરવાની નીયત સાથે કામ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું- "અતુલ કુશવાહા તમામ સેલિબ્રિટીઝ અને નેતાઓના ટ્વીટર હેન્ડલ સંભાળતા હતા. તેના માટે આશીષ પાંડે અને હિમાંશુ સૈનીનો પોત પોતાના બિઝનેસનો જેલેશી હતી. તેના કારણે આ સાજીશ રચવામાં આવી. "
હાલ કાનપુર પોલીસે હિમાંશુ સૈની અને આશીષ પાંડેની ધરપકડ કરી જેલ મોકલી દીધા છે. આશીષ પાંડેની પત્ની પ્રીતિ વર્મા આ સમયે ઉત્તર પ્રદેશ બાલ આયોગના સદસ્ય છે. પતિ પર લગાવવામાં આવેલા આરોપ બાદ પત્નીની ખુર્શી પર પણ ખતરો છે.