કાનપુરમાં બદમાશોએ વિકાસ દુબેને પકડવા ગયેલી પોલીસ ટીમને ઘેરી ળીઓ ચલાવી હતી. જેમાં ડેપ્યુટી એસપી સહિત આઠ પોલીસ જવાન શહીદ થયા છે. ઘટના બાદ તપાસ ટીમોએ સઘન તપાસ શરૂ કરી છે. એકે 47 ના ફુટેલા કારતૂસ મળ્યાછે. આશરે બે ડઝન લોકોને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે.
બદમાશોએ પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યુ હતુ
સીઓ સહિત આઠ પોલીસ જવાનો શહીદ
પોલીસની ટીમે સરહદ સીલ કરી હતી બદમાશોની શોધખોળ શરુ કરી
આ સાથે શહેર બહાર જતા તમામ ટોલ-પોઇન્ટના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. આખા વિસ્તારના લોકોની કોલ ડિટેલની તપાસ કરવામાં આવી રહી છે. નજીકના જિલ્લાની પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. બદમાશોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લાના એસટીએફ એકમો પણ બજમાશોની શોધમાં લાગી છે.
એન્કાઉન્ટરમાં બે બદમાશો માર્યા ગયા
પોલીસ ટીમમાં ફાયરિંગ કરનારા બદમાશોની શોધખોળ શરૂ કરાઈ છે. ઠેર-ઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે. અહેવાલ છે કે પોલીસે એન્કાઉન્ટરમાં વિકાસ દુબેના બે ગુંડાઓને ઠાર કર્યા છે. જોકે, પોલીસ દ્વારા કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. હાલમાં વિકાસ દુબેની શોધ કરવામાં આવી રહી છે.
ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી
ફોરેન્સિક્સની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઘટનામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો વિશે માહિતી એકઠી કરવામાં આવી રહી છે. પોલીસ ટીમમાં કેટલા બદમાશો હુમલો કરી રહ્યા હતા. તે શોધવા ફિંગર પ્રિન્ટ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સાથે ઘટનામાં ઉપયોગમાં લેવાતા શસ્ત્રો વિશે પણ માહિતી એકઠી કરવામાં આવી રહી છે.
કાનપુર ગ્રામ્ય વિસ્તારને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યો છે. એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમાર, એસટીએફના આઈજી સહિત અનેક પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. હોસ્પિટલની તપાસ ટીમ ઘાયલ પોલીસ કર્મચારીઓ પાસેથી સિકેન્શિયલ ઓફ ઈવેન્ટ્સની માહિતી લઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે શહીદ સી.ઓ. દેવેન્દ્ર મિશ્રા ધાબા પરથી બચવા માટે વિકાસ દુબેના ઘરેથી કૂદ્યા હતા.
ઘટના સ્થળે પહોંચેલા એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે, તોફાનીઓની ગોળીબારમાં સાત સ્થાનિક લોકો પણ ઘાયલ થયા છે. આ સાથે ઘણા પોલીસ હથિયારો ગાયબ છે. આ ઘટનામાં સંડોવાયેલા લોકોને બક્ષવામાં આવશે નહીં અને તેમની સામે કાર્યવાહી ચાલી રહી છે. અનેક જિલ્લાની પોલીસ તહેનાત કરવામાં આવી છે.
શું છે આખો મામલો
કાનપુર દેહતનાં ચૌબેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે બિકરૂ ગામે દરોડો પાડ્યો હતો. પોલીસ અહીં હિસ્ટ્રી શીટર વિકાસ દુબેને પકડવા ગઈ હતી. દરોડા દરમિયાન લુખ્ખાતત્વોએ પોલીસને ઘેરી લીધી હતી અને ફાયરિંગ કરી દીધુ હતુ. જેમાં આઠ પોલીસ જવાન શહીદ થયા હતા. વિકાસ દુબે તે જ ગુનેગાર છે. જેમણે 2001 માં રાજનાથ સિંહ સરકારમાં મંત્રી સંતોષ શુક્લાને પોલીસ સ્ટેશનમાં પ્રવેશી માર્યા હતા.