ઉત્તર પ્રદેશના કાનપુરમાં બિકરુ ગામમાં નરસંહારમાં શહીદ થયેલો પોલીસકર્મીઓની પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગઈ છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં કેટલાય મોટા ખુલાસા થયા છે. જેમાં જાણવા મળ્યું છે કે વિકાસ દુબે અને તેના સાથીઓેએ સીઓ દેવેન્દ્ર મિશ્રા સહિત 8 પોલીસ કર્મચારીઓને કેટલી નિર્દયતાથી માર્યા હતા.
દેવેન્દ્ર મિશ્રાને 4 ગોળી મારવામા આવી હતી
8 પોલીસ કર્મચારીઓને કેટલી નિર્દયતાથી માર્યા હતા
દેવેન્દ્ર મિશ્રાને ગોળી માર્યા બાદ તેના પગને કાપ્યો હતો
પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે સીઓ દેવેન્દ્ર મિશ્રા સહિત તમામ પોલીસકર્મીઓની હત્યામં ધારદાર હથિયારોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસકર્મીઓએને ન ફક્ત મારવાનો પણ બદલો દેવાનો ઈરાદો પણ સ્પષ્ટ જણાયો હતો.
પોસ્ટ મોર્ટમ રિપોર્ટ મુજબ સીઓ દેવેન્દ્ર મિશ્રાને 4 ગોળી મારવામા આવી હતી. જેમાંથી 3 શરીરની આરપાર થઈ હતી. 1 ગોળી તેના માથામાં, એક છાતીમાં અને 2 પેટમાં વાગી હતી.
આ ઉપરાંત વિકાસદુબે અને તેના સાથીઓએ સીઓ દેવેન્દ્ર મિશ્રાને ગોળી માર્યા બાદ તેના પગને કાપ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવ્યાનુંસાર તમામ બૂલેટ પોઈન્ટ બ્લેન્ક રેન્જથી મારવામાં આવી હતી.
આ ઉપરાંત 3 પોલીસકર્મીઓના માથા પર અને 1ના ચહેરા પર ગોળી મારવામાં આવી હતી. તમામ 8 પોલીસ કર્મીઓના રિપોર્ટમાં એ સ્પષ્ટ થાય છે કે બહું જ ઘાતકી રીતે હત્યા કરવામાં આવી હતી.