કાનપુરમાં ઓમિક્રૉનના ભયથી તબીબે પરિવારના તમામ સભ્યોની હત્યા કરી
ભારતમાં કોરોના વાયરસનાં નવા વેરિયન્ટ ઓમિક્રૉની એન્ટ્રી થઈ ગઈ છે. એવામાં કાનપુરમાં એક ડૉક્ટર એટલો બધો ટેન્શનમાં આવી ગયો કે આખા પરિવારને પતાવી નાંખ્યો.સમગ્ર ઘટનામાં ડોક્ટરે એક નોટ પણ લખી છે, જે અત્યંત ચોંકાવનારી છે.
પરિવારને મારી ભાઈને મેસેજ કર્યો, ડાયરીમાં મળી ચોંકાવનારી બાબત
યુપીના આ ક્રૂર ડોક્ટરે હથોડાથી માથું ફોડીને પોતાની પત્નીને મારી નાંખી, બાદમાં દીકરા અને દીકરીને પણ ગળું દબાવી મારી નાંખ્યા. ટ્રીપલ મર્ડર બાદ તેણે આ સૂચના મેસેજ કરીને ભાઈને આપી અને ભાગી ગયો. ડોક્ટરે ખુદ ભાઈને કહ્યું કે પોલીસને કહી દે હું ડિપ્રેશનમાં છું. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ડોક્ટરે પોતાની ડાયરીમાં લખ્યું હતું કે કોરોના વાયરસ બધાને મારી નાંખશે, હવે લાશો નથી ગણવી. પોતાની બેદરકારીના કારણે જ કરિયરમાં અહીં પહોંચી ગયો છું જ્યાંથી નીકળવું અસંભવ છે, હું સભાન અવસ્થામાં પોતાના પરિવારને ખતમ કરી રહ્યો છું.
બીજો કોઈ રસ્તો નથી, બધાને મુક્ત કરું છું
ડોક્ટરના પરિજનોએ પોલીસને જણાવ્યું કે તે કેટલાક મહિનાથી ડિપ્રેશનમાં હતો. ડૉક્ટરરની 10 પાનાંની નોટમાં લખવામાં આવ્યું છે કે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી, હું મારા પરિવારને આ રીતે કષ્ટમાં છોડી ન શકું એટલે બધાને મુક્ત કરી દઉં છું. મારી આત્મા મને ક્યારેય માફ નહીં કરે.