લૉકડાનના કારણે બે વાર લગ્ન ઠેલાવવાના કારણે એક દુલ્હન (ગોલ્ડી) હેરાન થઈ ચૂકી હતી. તે 80 કીમી. ચાલીને દુલ્હા (વીરેન્દ્ર કુમાર રાઠોડ)ના ગામડે કાનપુર પહોંચી. પછી બંને પરિવારની સહમતિથી તેમના લગ્ન મંદિરમાં કરવામાં આવ્યા. આ ઘટના કાનપુર દેહાતની છે.
લૉકડાઉનમાં 2 વાર ટળ્યા લગ્ન
દુલ્હન 80 કિમી ચાલીને પહોંચી દુલ્હાના ગામ
પરિવારની મંજૂરીથી કર્યા લગ્ન
કોરોના મહામારીના કારણે લૉકડાઉનમાં વારેઘડી લગ્નની તારીખો પાછી ઠેલાઈ રહી છે. કાનપુરમાં આવી એક ઘટનાનામાં 2 વાર (4 મે અને 17 મે)લગ્ન પાછા ઠેલાતા દુલ્હન પરેશાન થઈ હતી. વારેઘડીની તારીખોથી હેરાન થયેલી દુલ્હને 12 કલાકની 80 કીમીની પગપાળા મુસાફરી કરી. તે દુલ્હાના ઘરે પહોંચી. અચાનક તેને ઘરે આવેલી જોઈને સૌ ચોંકી ગયા અને પછી તેનું સ્વાગત કર્યું. તેણે પરિવારના સભ્યો સાથે વાત કરી અને બંને પરિવારની મંજૂરી બાદ એક મંદિરમાં તેમના લગ્ન થયા. ગામના લોકોએ આ વાતનું સમર્થન કર્યું અને સમારોહમાં સોશ્યિલ ડિસ્ટન્સિંગને જાળવવામાં આવ્યું હતું.
કોઈને કહ્યા વિના છોડ્યું ઘર
ગોલ્ડીએ કહ્યું કે તેના લગ્ન 4 મેના રોજ નક્કી થયા હતા. જે લૉકડાઉન બાદ 17 મેના રોજ રખાયા હતા. ફરી લૉકડાઉન વધવાના કારણે તેમના લગ્ન થઈ શકતા ન હતા. જ્યારે લગ્નને ફરી ટાળવાનો વિચાર કર્યો ત્યારે ગોલ્ડીએ નક્કી કર્યું કે હું મહામારીને મારા લગ્નમાં બાધારૂપ નહીં બનવા દઉ. મેં કોઈને કહ્યા વિના જ ઘર છોડી દીધું.
પગપાળા પહોંચી સાસરે
ગોલ્ડીએ 80 કીમીની મુસાફરી 12 કલાકમાં અને પગપાળા કરી હતી. તે દુલ્હાના ગામ પહોંચી. તેણે કહ્યું મેં આટલા કલાકથી કંઈ ખાધું નથી. તેની સાથે એક નાની બેગ હતી અને તેમાં કપડાં હતા. તેણે કહ્યું કે સાસરે પહોંચીને અમે બંને પરિવારની સહમતિથી લગ્ન કર્યા છે. માસ્ક લગાવેલા આ કપલનો ફોટો વાયરલ થઈ રહ્યો છે.