કાનપુરના બહું ચર્ચિત બિકરુ કાંડની SIT રિપોર્ટથી રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. SIT રિપોર્ટમાં પોલીસ, પ્રશાસન, રાજસ્વ અને જિલ્લા સપ્લાઈ વિભાગ પર વિકાસ દુબેના પ્રભૂત્વની કહાની સંભળાવી રહ્યા છે. આ જ કારણે SITએ અનેક વિભાગના અનેક અધિકારીઓની વિરુદ્ધ કાર્યવાહી કરવાની અરજ કરી છે. SITની રિપોર્ટ પર જલ્દી મોટી કાર્યવાહી થવાના આસાર છે. SIT રિપોર્ટના જણાવ્યાનુંસાર આ વિભાગોના અધિકારીઓએ ન ફક્ત અથડામણમાં માર્યા ગયેલા ગેંગસ્ટર વિકાસ દુબેની ગતિવિધિઓ પર ચુપ્પી સાધી રાખી છે બલ્કી તેમને પ્રોત્સાહિત કર્યો છે.
અનેક વિભાગના અનેક અધિકારીઓની વિરુદ્ધ કાર્યવાહી કરવાની અરજ કરી છે
અધિકારીઓની બેદરકારીનો ઉલ્લેખ એસઆઈટીની રિપોર્ટમાં કર્યો છે
પોલીસ વિકાસ દુબેના હથિયાર જમા ન કરાવ્યું
SIT રિપોર્ટમાં જણાવ્યા મુજબ ભાજપ સરકારમાં રાજ્યમંત્રી સંતોષ શુક્લાની હત્યા બાદ 2004માં વિકાસ દુબેના હથિયાર લાઈસન્સ રદ્દ કર્યું હતુ. પરંતુ 2020 સુધી પોલીસ વિકાસ દુબેના હથિયાર જમા ન કરાવ્યું. એટલું જે નહીં ઓક્ટોબર 2017માં લખનૌ કુષ્ણનગર પોલીસ સ્ટેશનના લાઈસેન્સ ઓટોમેટિક રાયફલની સાથે વિકાસ દુબેની ધરપકડ થઈ હતી. પરંતુ પોલીસની નબળવી વકીલાતના કારણે એપ્રિલ 2018માં વિકાસ દુબેના હથિયાર કોર્ટના આદેશી રિલીવ થઈ ગયા હતા. વિકાસ દુબે અને આના નજીકના લોકોના હથિયાર લાઈસન્સ બનાવવા માટે પોલીસ અને પ્રશાસનના અધિકારીઓની બેદરકારીનો ઉલ્લેખ એસઆઈટીની રિપોર્ટમાં કર્યો છે.
સૂત્રોના જણાવ્યાનુંસાર એસઆઈટીએ કાનપુર નગરના તત્કાલીન એસએસપી અનંત દેવ અને એએસપી ગ્રામીણ પ્રદ્ય્યુમ સિંહની વિરુદ્ધ પણ કાર્યવાહીની સિફારિશ કરી છે. ઉચ્ચ મુખ્ય સચિવ સંજય આર. ભૂસરેડ્ડીની અધ્યક્ષતામાં ગઠિત એસઆઈટીએ પોતાના રિપોર્ટમાં પ્રશાસનના અનેક અધિકારીઓની વિરુદ્ધની કાર્યવાહીની સિફારિશ કરી છે. વર્ષ 1990થી 2020 સુધીના વિકાસ દુબેના સફરમાં તેને સંરક્ષણ આપનારા અધિકારીઓનો આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.