ઉત્તરપ્રદેશ: રાજ્યમાં યોગી રાજમાં બાળકીઓ પર બળાત્કારની ઘટનાઓ દિવસે ને દિવસે સામે આવી રહી છે. ત્યારે હવે યુપીનાં મુઝફ્ફરનગરનાં જાનસઠ વિસ્તારમાં એક ડોક્ટરે 13 વર્ષની યુવતીને બંધક બનાવીને દુષ્કર્મ આચર્યુ છે. ડોક્ટરે યુવતીને નશાની ગોળી આપીને તેને ત્રણ દિવસ સુધી બંધક બનાવીને બળાત્કાર ગુજાર્યો હતો.
આ મામલે પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરતા આરોપી ડોક્ટરની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ રામપુર જિલ્લામાં 7 વર્ષની બાળકી સાથે નેતા અજગર અલીનાં નોકરે બાળકીને રૂપિયાની લાલચ આપીને દુષ્કર્મ આચર્યુ હતું. જો કે ઘટનાસ્થળે બાળકીએ બુમો પાડતા ગ્રામજનો બધાં એકઠાં થયાં હતાં.
બાદમાં ગ્રામજનોએ પણ આરોપીને પકડીને ઢોર માર માર્યો હતો. પોલીસે આ આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. જ્યારે કન્નોઝમાં રહેતી 11 વર્ષીય દલિત વિદ્યાર્થિની સાથે તેનાં જ સગા કાકાએ દુષ્કર્મ આચર્યુ છે. બાળકીની મા તાનું મોત થતા અને તેનાં પિતા કોઈ કારણોસર જેલમાં સજા કાપી રહ્યાં હોવાથી બાળકી ઘરે એકલી જ રહેતી હતી. જેથી તેનાં કાકાએ જ આ ઘટનાને અંજામ આપી ત્યાંથી આરોપી ફરાર થઈ ગયો હતો.
મહત્વનું છે કે જ્યારે તે બાળકીનાં પિતા ઘરે પહોંચ્યાં હતાં ત્યારે તેની હાલત જોઇને તેનાં પિતા પણ દંગ રહી ગયાં હતાં અને તેવાં સમયે તે બાળકી પણ ડરેલી હાલતમાં જોવાં મળી હતી. જેથી તે બાળકીને તેનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું કે "તેનાં કાકા તેની સાથે દરરોજ ખરાબ-ખરાબ વર્તન કરતા હતાં અને આજે પણ તેનાં કાકાએ તેની સાથે ખરાબ જ હરકત કરી હતી."
જ્યારે પીડિત પિતાએ આ વાત સાંભળી હતી ત્યારે તે પિતાએ તે સમગ્ર વાતને પોલીસને આપી દીધી. જો કે પોલીસે આરોપી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી લીધી છે અને આ મામલે કાર્યવાહી પણ હાથ ધરી દીધી છે.