કન્નડ સિનેમાના જાણીતા અભિનેતા પુનીત રાજકુમારે 29 ઓક્ટોબરે અચાનક આ દુનિયાને અલવિદા કહી દીધુ. તેમના નિધનના સમાચાર પ્રસારિત થતાં તેમના પ્રશંસકોને ખૂબ દુ:ખ થયુ છે. પુનીત 46 વર્ષના હતા અને હાર્ટ એટેકના કારણે તેમનું નિધન થયુ.
અભિનેતા પુનીત રાજકુમારનું હાર્ટ એટેકથી નિધન
દિવંગત અભિનેતાની આંખોનું દાન કરાયું
પુનીતના નિધનથી તેમના પ્રશંસકો શોકમાં ગરકાવ
હાર્ટ એટેકથી નિધન
ફિટનેસના બેતાજ બાદશાહ તરીકે ઓળખાતા પુનીતને જીમમાં બે કલાકની કસરત કર્યા બાદ હાર્ટમાં દુ:ખાવો ઉપડ્યો હતો. પુનીતની તબિયત વધુ બગડતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યાં તબીબોએ સતત તેમને બચાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ કમનસીબે તેમનું નિધન થયુ.
દાન કરવામાં આવી દિવંગત અભિનેતાની આંખો
અભિનેતાએ પોતાના પિતાની જેમ પોતાની આંખોનું દાન કર્યુ. પ્રસિદ્ધ અભિનેતા ડૉ. રાજકુમારે 1994માં પોતાના આખા પરિવારને આંખોનું દાન કરાવવાનો નિર્ણય લીધો. ઉલ્લેખનીય છે કે, ડૉ. રાજકુમારનું પણ નિધન વર્ષ 2006માં હાર્ટ એટેકના કારણે થયુ હતુ. અભિનેતા ચેતન કુમારે ટ્વિટ કર્યુ કે તબીબોની એક ટીમે પુનીતના નિધનના છ કલાકની અંદર ઓપરેશન કર્યુ.
આપણે નેત્રદાન કરવુ જોઈએ
અભિનેતાએ લખ્યું, જ્યારે હું અપ્પૂ સરને જોવા માટે હોસ્પિટલમાં ગયો હતો ત્યારે નિધન બાદ છ કલાકની અંદર તેની આંખો કાઢવા માટે તબીબોનો એક ટીમ આવી હતી. જેવી રીતે ડોકટર રાજકુમાર અને નિમ્માશિવાએ નેત્રદાન કર્યુ હતુ. તેવી રીતે અપ્પૂ સરે પણ નેત્રદાન કર્યુ. આ સાથે અભિનેતાએ તેને મિસાલ ગણાવતા લોકોને અપીલ કરી છે કે તેઓ પણ તેના પગલે ચાલે અને નેત્રદાન કરે.
While I was at hospital to see Appu Sir, a medical group came to remove his eyes in 6-hour window after death
Appu Sir—like Dr Rajkumar & @NimmaShivanna—donated his eyes
Following in their footsteps & in Appu Sir’s memory, we must all pledge to donate our #eyes as well
શિવરાજકુમારની દીકરી નિવેદીતા પુનીતની તબિયત બગડવાની ખબર સાંભળતા હોસ્પિટલ ગઇ હતી. સ્ટાર રવિચંદ્રન અને નિર્માતા જયન્ના અને કે પી શ્રીકાંત પણ હોસ્પિટલમાં પુનીતના ખબર-અંતર પૂછવા ગયા હતા. પુનીતના નિધનના સમાચાર વહેતા થતાં તેના ચાહકોને મોટો આઘાત લાગ્યો છે. મહત્વનું છે કે, પુનીત ફક્ત એક અભિનેતા હતા. પરંતુ એક સિન્ગર પણ હતા. પુનીતનો જન્મ 17 માર્ચ 1975ના રોજ થયો હતો. તેમણે વર્ષ 2002માં આવેલી ફિલ્મ અપ્પુથી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે 29થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, પુનીત દક્ષિણ ભારતીય ફિલ્મોનું જાણીતુ નામ હતુ. પુનીતના પિતા રાજકુમાર ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ હતુ. તેમને કન્નડ સિનેમાના આઈકન માનવામાં આવતા હતા. તેઓ પહેલા એવા કન્નડ ઈન્ડસ્ટ્રીના અભિનેતા હતા. જેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હતો. પુનીતના પિતા રાજકુમાર તેમને અને તેમની બહેનને ફિલ્મના સેટ પર લઇ જતા હતા. પુનીતનો કન્નડ સિનેમામાં સૌથી વધુ ફી લેનારા અભિનેતામાં સમાવેશ થાય છે.