કન્નડ અભિનેતા એસ શિવરામ કે જેમણે 6 દાયકાથી વધારે ફિલ્મોમાં કામ કર્યું તેમનું શનિવારે અવસાન થયું છે.
કન્નડ એક્ટરનું જૈફ વયે નિધન
હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર
માથામાં ઇજા થવાથી થયું અવસાન
હોસ્પિટલમાં હતા દાખલ
આ અઠવાડિયામાં તેમને માથામાં ઇજા પહોંચવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ICUમાં સારવાર આપવામાં આવી રહી હતી. મંગળવારે પૂજામાં તેઓ પડી ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. તેમને મગજમાં બ્લિડીંગ શરૂ થઇ ગયું હતું. વધારે ઉંમરના કારણે તેમની સર્જરી કરવામાં આવી નહોતી.
અકસ્માત પણ સર્જાયો હતો
શિવરામ ગયા અઠવાડીયા એક્સિડન્ટનો ભોગ પણ બન્યા હતા. તેમની કાર એક પોલ સાથે ટકરાઇ હતી પરંતુ તેમને કોઇ ઇજા થઇ ન હતી. સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા પુટ્ટુન્ના કનાગલ અને ડૉ રાજકુમારની ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવવા બદલ તેમને હંમેશા યાદ રાખવામાં આવશે.
ઉમદા અભિનેતા
તેઓ ગંભીર અને કોમેડી બંને પ્રકારની ભૂમિકા ભજવી શકતા હતા. તેમણે 'નાગરહાવુ' (1972), 'નાનોબ્બા કલ્લા' (1979), 'હોમ્બિસિલુ' (1978), 'ગીથા' (1981), 'યેજામાના' (2000), અને 'અપથમિત્ર' (2004) માં કામ કર્યું હતું.