બનાસકાંઠાના કાંકરેજના વડા નજીક કાર પલ્ટી જતા ત્રણ લોકોના મોત નિપજ્યાં હતા.
શિહોરી-થરા હાઈવે પર વડા બ્રિજ નજીક કાર પલટી
કાર પલટી થતા કારમાં સવાર 3 વ્યક્તિઓના મૃત્યુ થયા
એક જ પરિવારના 3 વ્યક્તિએ અકસ્માતમાં ગુમાવ્યો જીવ
વિકાસની હરણફાળ ભરતા ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે આઘાતજનક ઉછાળો આવી રહ્યો છે. વાહન અકસ્માતમાં અનેક પરિવારના માંળા વિખાય ગયા છે. ત્યારે
બનાસકાંઠાના કાંકરેજના વડા નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કાર પલટી જતા એક જ પરિવારના ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. એક જ પરિવારના ત્રણ સભ્યોની એક સાથે અર્થી ઉઠતાં સમગ્ર પંથક હિબકે ચડયો છે.
કાર પલટી એક જ પરિવારના ત્રણ લોકોને કાળ આંબી ગયો
અકસ્માત અંગે જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર બનાસકાંઠાના કાંકરેજના વડા નજીક અકસ્માતે કાર પલટી ગઈ હતી. શિહોરી-થરા હાઈવે પર કાર લઈ એક જ પરિવારના સભ્યો જઇ રહ્યા હતા. આ દરમિયાન વડા બ્રિજ નજીક રોડ પર એકાએક ખાડો આવી ગયો હતો. ખાડાથી બચવા જતા કારના ડ્રાઇવરે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેને પગલે કાર પલટી ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોને કાળ આંબી ગયો હતો. આ કરુણાંતિકાને પગલે માર્ગ મરણચીરોથી ગુંજ્યો હતો.
થરા પોલીસ કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો
વધુમાં અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. આથી આ તમામને સારવાર અર્થે 108 મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ આ દુર્ઘટના અંગે પોલીસને જાણ થતાં થરા પોલીસ સ્ટેશનનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને લઈને કારનો બૂકડો બોલી ગયો હતો. અકસ્માતને લીધે રોડ પર ટ્રાફીક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જયા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ટ્રાફીક દૂર કર્યો હતો.