કાંકરિયા રાઈડ તૂટવા મામલે સારવાર લઇ રહેલા દર્દીઓની મુલાકાત માટે મેયર અને શાસક નેતાઓ એલ જી હોસ્પ્ટિટલ પહોંચ્યાં હતા પરંતુ ઘટનામાં જવાબદારી કોની તે અંગે પ્રશ્ન પૂછતા મેયર અને નેતાઓએ ચાલતી પકડી હતી.
ઉલ્લખનીય છે કે, કાંકરિયામાં રાઈડ તૂટી પડવાની બનેલી ઘટના બાદ દર્દીઓને એલ.જી. હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ દર્દીઓના ખબર-અંતર પૂછવા અમદાવાદના મેયર બિજલ પટેલ સાશક નેતાઓ સાથે પહોંચ્યા હતા. પરંતુ મીડિયાને આ મુલાકાતથી દૂર રાખવામાં આવ્યા હતા જ્યારે મેયર બિજલ પટેલને કાંકરિયામાં બનેલી આ ઘટના અંગે જવાબદાર કોણ તેવો સવાલ પૂછતાં મેયર ગુસ્સે ભરાયા હતા.
આ ઘટનાની જવાબદારી પોલીસ અને આર એન્ડ બી વિભાગ પર ઢોળી દીધી હતી અને જવાબદારી માંથી રિતસર જાણે છટકવાનો પ્રયાસ કર્યો અને મૃતકો ને ન્યાય માટે તપાસ કોણ કરશે તે અંગે સવાલ પૂછતા ભડકી ઉઠેલા મેયર અને પદાધિકારીઓ એ ચાલતી પકડી હતી.
મહત્વનું છે કે દર વર્ષે કાંકરિયામાં કાર્નિવલ નું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજન કરે છે. અને આ કાર્નિવલની સફળતાનો જશ કોર્પોરેશન લે છે. એટલુ જ નહીં અહીં ચાલતી રાઈડની મસ મોટી ફી પણ કોર્પોરેશન વસુલે છે ત્યારે ઘટના બને ત્યારે જવાબદારી સ્વીકારવની જગ્યાએ અમદાવાદના મેયર જવાબદારીથી ભગતા જોવા મળી રહયા છે જ્યા પ્રશ્ન એ ઉભો થાય છે કે મોત ના સોદાગરો સામે તપાસ કરશે કોણ ..?