દર વર્ષે 25મી ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલ ઉજવવામાં આવે છે જેમાં આતશબાજીથી લઈને અવનવી રોશની અને લેસર શોના આયોજન કરવમાં આવે છે આ વખતે પણ 25 ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી ઉજવણી થવાની છે અને કરોડો રૂપિયાની લાઈટ અને ફટાકડાનો ધૂમાડો થવાનો છે. આ તમામ બોજો પ્રજાના ગજવામાંથી કરપેટે જાય છે. વગેરે જેવી ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બની છે.
કાંકરિયા કાર્નિવલનું લાઈટબિલ કોણ ભોગવે છે
આતશબાજી અને લેસર શો પણ પ્રજાના પૈસે
દિવાળી જેવો માહોલ નાતાલમાં કોને બતાવવા?
દર વર્ષની જેમ આ વર્ષે પણ નાતાલના દિવસથી એટલે કે 25મી ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ યોજાવાનો છે. ત્યારે એવી ચર્ચાએ જોર પકડ્યુ છે કે, જુદા જૂદા સ્ટેજ, લાઈટીંગ, ડેકોરેશન, આતશબાજી પાછળ જે કરોડોનો ધૂમાડો કરવામાં આવે છે તે કોના પૈસા છે? પ્રજા પાસેથી વસૂલાતા કરવેરાનો આમ ધૂમાડો કેટલો યોગ્ય છે?
7 દિવસ ચાલશે કાર્નિવલ
ડિસેમ્બર મહિનો આવતા જ શહેરમાં આવેલા કાંકરિયા વિસ્તારની રોનક જ બદલાઇ જાય છે. કાંકરિયા ખાતે છેલ્લા ઘણા વર્ષોથી કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી એટલે કે 7 દિવસ સુધી કાંકરિયા અલગ-અલગ સ્ટેજ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે.
ગીતા રબારી, કીર્તિદાન ગઢવી, ઓશમાન મીર જેવા ગાયકો અને સાંઈરામ દવે જેવા કલાકારો લોકોનું મનોરંજન કરશે. આ સાથે શહેરના 900 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવશે.