દેશ અને દુનિયામાં લગ્નને લઈને અલગ-અલગ પરંપરાઓ જોડાયેલી છે. એવામાં ઘણી પરંપરાઓ તો એવી હોય છે કે તેની પર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ છે. આવી જ એક અનોખી પરંપરા છે કંઝરભાટ સમુદાયની. ખરેખર આ સમુદાયમાં લગ્ન કરવા યુવતી માટે જેટલી ખુશીની વાત છે તેટલી જ યુવતીઓ માટે દુ:ખની વાત છે. કારણકે લગ્ન બાદ સુહાગરાત વખતે અહીં યુવતીનો કૌમાર્ય ટેસ્ટ કરવામાં આવે છે. જેના માટે ગામના સરપંચ સહિત બધા લોકો નવદંપત્તિના રૂમની બહાર બેસી રાહ જોવે છે.
મીડિયા રિપોર્ટ મુજબ સુહાગરાત એક દંપત્તિ માટે ખૂબ જ ખાનગી સમય હોય છે. પરંતુ કંઝરભાટ સમુદાયમાં આ વાત લાગુ થતી નથી. જ્યારે આ સમુદાયના કોઈ પણ પુરૂષના લગ્ન થાય છે તો તે સુહાગરાતે પોતાના બેડ પર સફેદ ચાદર પાથરે છે. આ સફેદ ચાદર એટલા માટે પાથરવામાં આવે છે કારણકે શારીરિક સંબંધ બનાવતી વખતે ચાદર પર જે લોહીના ડાઘ પડે છે તે સહેલાઈથી ચાદર પર દેખાય. આ ચાદરને જોઈને સવારના સમયે યુવકના રૂમની બહાર બેઠેલા સરપંચ અને અન્ય લોકો નક્કી કરે છે કે નવવધુ પહેલાથી જ વર્જિન હતી કે નહીં.
એવામાં જો નવવધુ વર્જિન ના હોય તો ગ્રામજનો તેની સાથે પ્રાણીઓ સાથે થતા વ્યવહારથી પણ ખરાબ વ્યવહાર કરે છે. દેશમાં એક બાજુ મહિલા સન્માન અંગે ભરપેટ વાતો કરાઈ રહી છે પરંતુ આ સમુદાયમાં ખુલ્લેઆમ મહિલાની ઈજ્જતને ઉછાળવામાં આવે છે. વિચિત્ર બાબત તો એ છે કે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી આ પરંપરા આજે પણ યથાવત છે.