લખનૌ સહિત કેટલાય શહેરોના લોકોને કોરોના વાયરસની ઝપેટમાં લાવનાર કનિકા કપૂરે પીજીઆઈના સ્ટાફ પાસે વીવીઆઈપી સુવિધા આપવા દબાણ શરુ કર્યુ છે. તેણે આરોપ લગાવ્યો હતો કે તેને સારી સુવિધા આપવામાં આવી રહી નથી.
વીવીઆઈપી સુવિધા માટે સ્ટાફ પર દબાણ કરી રહી છે
કનિકા સામે FIR દાખલ કરવામાં આવી છે
સ્પેશિયલ જમવાનું તૈયાર કરવા દેવામાં આવ્યું છે
વીવીઆઈપી સુવિધા માટે સ્ટાફ પર દબાણ કરી રહી છે
પીજીઆઈ ડિરેક્ટર ડૉ. આર કે ધીમાને જણાવ્યું હતું કે કનિકાને વીવીઆઈપી સુવિધા માટે સ્ટાફ પર દબાણ કરી રહી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ડૉક્ટર તથા સ્ટાફ સાથે તે અભદ્ર વર્તન કરી રહી છે. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે પીજીઆઈમાં સ્પેશિયલ જમવાનું તૈયાર કરવા દેવામાં આવ્યું છે.
કનિકા સામે FIR દાખલ કરવામાં આવી છે
ડાઈટ ગ્લૂટેન ફ્રી આપવામાં આવી રહ્યા છે. સાથે સાથે આઈસોલેશન સાથે જોડાયેલી તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે. તેના રુમમા વેન્ટિલેશન માચે હેંડલિંગ યૂનિટ લગાવવામાં આવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કનિકા કપૂર 9 માર્ચના લંડનથી ભારત આવી હતી. કહેવાઇ રહ્યુ છે, એરપોર્ટ પર સ્ક્રીનિંગથી બચવા માટે તે બાથરૂમમાં છુપાઇ હતી. ત્યાર પછી લખનૌ અને કાનપુરમાં પાર્ટી કરી હતી. કનિકા સામે FIR દાખલ કરવામાં આવી છે.
37 લોકોના સેમ્પલ લેવાયા છે
કોરોના સંક્રમિત સિંગર કનિકા કપૂરે શહેરમાં આવ્યા બાદ શહેરીજનો હચમચી ગયા છે. કનિકા સાથે સંપર્કમાં આવેલા 37 લોકોના સેમ્પલ લેવાયા છે. જેમની તપાસ કિંગ જોર્જ મેડિકલ યૂનિવર્સિટી(કેજીએમયૂ) લખનૌમાં મોકલવામાં આવી થછે. કેજીએમયૂના સૂત્રોના જણાવ્યાનુંસાર 6 સેમ્પલમાં રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બાકીના સેમ્પલની તપાસનો રિપોર્ટ આજે આવશે. આ ઉપરાંત કનિકના ઘરમાં કામ કરનાર મહિલાઓ તથા કર્મચારીઓનો રિપોર્ટ કરાવવામાં આવ્યો છે.