બોલિવુડની સિંગર કનિકા કપૂર કોરોનાની પોઝિટિવ છે, જેના કારણે લખનૌની એસપીજીઆઉ હોસ્પિટલમાં તે સારવાર હેઠળ છે. તાજેતરમાં જ સિંગરે દાવો કર્યો છે કે, હોસ્પિટલમાં તેની સાથે આરોપીની જેમ વ્યવહાર કરવામાં આવ્યો છે,
સિંગરે ખુલાસો કર્યો છે કે, તેને ખાવા માટે માત્ર 2 કેળા અને માખી બેઠેલું સતરું આપવામાં આવ્યુ હતુ. સિંગરે કહ્યુ કે, તે ભૂખ-તરસથી પીડાઇ રહી છે, તાવ છે પરંતુ હોસ્પિટલમાં તેનું કોઇ ધ્યાન રાખતુ નથી. જોકે કનિકાના આ દાવાઓ સામે હોસ્પિટલ તરફથી નિવેદન આવ્યુ છે.
એસપીજીઆઇ હોસ્પિટલનાડ ડિરેક્ટરે કહ્યુ, ''કનિકા સાથે નથી આપતી. હોસ્પિટલનો સૌથી સારો સિંગલ આઇસોલેટડ રૂમ તેને આપવામાં આવ્યો છે તેમા છતાં તે નખરા કરી રહી છે. કનિકાને હોસ્પિટલમાં શ્રેષ્ઠ સેવા આપવામાં આવી રહી છે. કનિકાના આઇસોલેટેડ રૂમમાં બાથરૂમ, પલંગ અને ટીવીની વ્યવસ્થા છે. કનિકાને ગ્લૂટન ફ્રી ડાયટ આપવામાં આવી રહ્યુ છે. ત્યારે કનિકાએ એક સ્ટાર જેવો નહી દર્દી જેવો વ્યવહાર કરવો જોઇએ તેણે સાજા થવું હોય તો સહયોગ આપવો પડશે.''
ડિરેક્ટરે આગળ જણાવ્યુ કે, અમે કનિકા માટે વધુ સુરક્ષાકર્મીઓ રાખ્યા છે શક્ય છે કે તે ભાગી જાય અને બીજામાં ઇન્ફેક્શન ફેલાવે.
આ સિવાય સિંગરે પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર કોરોના પોઝિટિવની વાત શૅર કરી હતી. કનિકાએ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરીને કહ્યુ કે, ''છેલ્લા ચાર દિવસથી ફ્લૂના લક્ષણો દેખાતા હતા. મેં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો પોઝિટિવ આવ્યુ. હું અને મારી ફેમિલી હાલમાં ક્વોરન્ટીનમાં છીએ. ડોક્ટરોની સલાહ પ્રમાણે આગળ વધી રહ્યા છીએ. હું જેટલા લોકોના સંપર્કમાં આવી છું તેમની તપાસ થઇ રહી છે.''
ઉલ્લેખનીય છે કે, કનિકા કપૂર 9 માર્ચના લંડનથી ભારત આવી હતી. કહેવાઇ રહ્યુ છે, એરપોર્ટ પર સ્ક્રીનિંગથી બચવા માટે તે બાથરૂમમાં છુપાઇ હતી. ત્યારપછી લખનૌ અને કાનપુરમાં પાર્ટી કરી હતી. કનિકા સામે FIR દાખલ કરવામાં આવી છે.