બોલિવુડની ફેમસ સિંગર કનિકા કપૂર કોરોના વાયરસની પોઝિટિવ થઇ છે. લખનૌમાં આઇસોલેશન વોર્ડમાં તેની સાથે તેના પરિવારની ભરતી કરવામાં આવી છે.
બોલિવુડ સિંગર કનિકા કપૂર કોરોના પોઝિટિવ
ગેરજવાબદારીને કારણે FIR દાખલ
આરોપ છે કે 9 માર્ચના લંડનથી ભારત પરત આવેલી કનિકા કપૂરે એરપોર્ટ પરના અધિકારીઓને દગો આપીને બહાર નીકળી ગઇ હતી. જોકે કનિકા કપૂરે આ આરોપોને ખારિજ કર્યા છે, તેનું કહેવુ છે કે, સ્ક્રીનિંગ થઇ હતી પરંતુ આઇસોલેશનમાં રાખવાની સલાહ આપવામાં આવી ન હતી.
જોકે કોરોના પર ગેરજવાબદારી રાખનારી આ બોલિવુડ સિંગર પર વિરુદ્ઘ થયેલી FIR માં ખુલાસો કરવામાં આવ્યો છે કે, કનિકા કપૂર જાણતી હતી કે તે કોરોનાથી પીડિત છે, તો બીજી તરફ લખનૌમાં પોલિસ કમિશ્નર સુજીત પાંડેએ જણાવ્યુ કે, કનિકા કપૂર વિરુદ્ઘ CMO દ્વારા આવેલી રિપોર્ટમાં તેની આવનારી તારીખ 14 માર્ચ હતી, પરંતુ તે 11 માર્ચના આવી હતી. જોકે તપાસમાં પોલીસ આ વાતનો સ્પષ્ટતા કરી દેશે.
કનિકા કપૂરને કોરોના પોઝિટિવ આવતા રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને તેમના પુત્ર દુષ્યંત સિંહ પણ સેલ્ફ આઇસોલેશનમાં ચાલ્યા ગયા છે.
કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાની વાત કનિકાએ સોશ્યલ મીડિયા પર સ્વીકારી હતી, કનિકાએ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરીને કહ્યુ કે, ''છેલ્લા ચાર દિવસથી ફ્લૂના લક્ષણો દેખાતા હતા. મેં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો પોઝિટિવ આવ્યુ. હું અને મારી ફેમિલી હાલમાં ક્વોરન્ટીનમાં છીએ. ડોક્ટરોની સલાહ પ્રમાણે આગળ વધી રહ્યા છીએ. હું જેટલા લોકોના સંપર્કમાં આવી છું તેમની તપાસ થઇ રહી છે.''