બોલીવુડ એક્ટર દીપિકા પાદુકોણના જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (JNU) કેમ્પસ જવાને લઇને JNU વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ અને સીપીઆઇ નેતા કન્હૈયા કુમારે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યું કે, દીપિકા પાદુકો JNU કેમ્પસમાં આવવાના પહેલા સુધી દેશભક્ત હતી પરંતુ જ્યારે તેઓ હિંસામાં ઘાયલ થયેલા વિદ્યાર્થીઓને સાથ આપવા કેમ્પસ આવી તો કેટલાક લોકો માટે એકાએક દેશદ્રોહી બની ગઇ.
દીપિકા પાદુકોણને લઇને કન્હૈયા કુમારે આપી પ્રતિક્રિયા
કન્હૈયા કુમારે કહ્યું, વિદ્યાર્થીઓનો સાથ આપ્યો એટલે દેશદ્રોહી બની ગઇ?
દીપિકા પાદુકોણે જેએનયુમાં આવી કોઇ નારા નથી લગાવ્યા
કન્હૈયા કુમારે કહ્યું કે, જ્યારે તેઓ પીએમ મોદીનો પ્રચાર કરે છે તો દેશભક્ત હોય છે પરંતુ JNU આવે છે તો દેશદ્રોહી. તમે જોયું હશે કે, જ્યારે દીપિકા જેએનયુ (JNU) આવી તો તેઓએ ન તો કંઇ કહ્યું ન અમારી સાથે નારા લગાવ્યા અને ન કોઇનું નામ લીધુ, તેઓ ચુપ હતા.
તેઓએ ઘાયલ વિદ્યાર્થીઓની મુલાકાત લીધી અને બાદમાં ચાલી ગઇ. હવે બીજેપી વાળા દીપિકાની ફિલ્મનો બહિષ્કાર કરવાનું કહી રહ્યા છે. મને તો આશ્ચર્ય થાય છે કે, જેએનયુ (JNU)માં આવ્યા બાદ દીપિકાએ ન તો કોઇ પાર્ટીનું નામ લીધુ, ન કોઇ વિચારધારાની વાત કરી અને ન નારા લગાવ્યા. તો પછી તેમની ફિલ્મ કેમ ન જોવી જોઇએ.
નોંધનીય છે કે, જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (JNU)માં 5 જાન્યુઆરીએ વિદ્યાર્થીઓની સાથે થયેલી હિંસાને લઇને ગુરુવારે JNU વિદ્યાર્થી સંઘ અને JNUના શિક્ષક એસોસિએશને વિરોધ માર્ચ નીકાળી. આ માર્ચમાં જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ અને સીપીઆઈના નેતા કન્હૈયા કુમાર પણ સામેલ થયા.