મહારાષ્ટ્રમાં કંગના અને શિવસેના વચ્ચે મામલો ગરમાયો છે, થોડા દિવસ પહેલા મુંબઇ મહાનગરપાલિકાએ કંગનાની ઓફિસ પર એકાએક બુલડોઝર ફેરવી દીધું છે. આ ઘટના બાદ મામલો વધુ બિચકાયો છે ત્યારે કંગના રનૌત આવતીકાલે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાતે કરવાના છે.
કંગના લડી લેવાના મૂડમાં
આવતીકાલે મહારાષ્ટ્રના રાજ્યપાલને મળશે
ઉલ્લેખનીય છે કે, આ મુલાકાત રવિવારે 4.30 કલાકે યોજાશે. માનવામાં આવી રહ્યું છે કે, આ મુલાકાતમાં કંગના કનૌત રાજ્યપાલને મનપા દ્વારા તોડી પડાયેલ ઓફિસ મુદ્દે અને સુરક્ષાને લઇને વાતચીત કરી શકે છે. નોંધનીય છે કે, આ મામલે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી પોતાની નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે.
રાજ્યપાલે આ મામલે વ્યક્ત કરી હતી નારાજગી
આપને જણાવી દઇએ કે, રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ગુરુવારે સીએમના મુખ્ય રાજકીય સલાહકાર અજોય મહેતાને બોલાવીને સીએમ ઉદ્ધવ ઠાકરે સામે નારાજગી વ્યક્ત કરી હતી. મળતી માહિતી મુજબ રાજ્યપાલ આ સમગ્ર વિવાદ અંગેનો અહેવાલ તૈયાર કરીને કેન્દ્રને મોકલશે.
કંગનાએ કર્યા આકરા પ્રહાર
નોંધપાત્ર વાત એ છે કે, બીએમસી દ્વારા ઓફિસ તોડવા પર કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે વિવાદ સતત વધી રહ્યો છે. તોડફોડ બાદથી કંગના રાનૌત ઉદ્ધવ સરકાર ઉપર પ્રહાર કરી રહી છે. તેમણે શિવસેનાની તુલના સોનિયાસેના સાથે કરી અને કહ્યું કે શ્રી બાલા સાહેબ ઠાકરેએ જે વિચારધારા પર શિવસેનાની રચના કરી હતી, તેણે પોતાની વિચારધારા વેચીને સોનિયા સેના બની છે.