અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ કંગના રણૌતે ઘણા બધા ખુલાસા કર્યા છે. પાછલા દિવસોમાં વીડિયો જાહેર કરીને સગાવાદ પર હુમલો કરનાર ધાકડ ગર્લ કંગનાએ આજે ફરી નવો ધડાકો કર્યો છે.
સુશાંત સિંહ કેસમાં મુંબઈ પોલીસની તપાસ પર કંગનાના પ્રહાર
કરણ જોહર, આદિત્ય ચોપરા, મહેશ ભટ્ટ અને રાજીવ મસંદનું લીધું નામ
જો હું ખોટી પડું તો પદ્મશ્રી પાછું આપી દઈશ : કંગના
રિપબ્લિક ટીવીને આપેલા એક ઇન્ટરવ્યુમાં કંગનાએ દાવો કર્યો કે ચાર લોકો સાથે પૂછપરછ કરવામાં નથી આવી જેમનો આ કેસ સાથે ખૂબ મોટો સંબંધ છે. કંગનાએ કહ્યું કે જો જો તે પોતાનો દાવો સાબિત કરવામાં અસમર્થ રહી તો તે પદ્મશ્રી પાછું આપી દેશે.
કંગનાએ કહ્યું કે 'તેમણે મને બોલાવી તો મેં તેમને પૂછ્યું કે હું મનાલીમાં છું શું તમે લોકો મારું નિવેદન લેવા માટે કોઈને મોકલી શકો છો. પરંતુ મને તે બાદ કોઈ જવાબ ન મળ્યો. હું આજે એક વાત કહેવા જઈ રહી છું અને જો હું તે સાબિત ન કરી શકું તો હું પોતાનો પદ્મશ્રી પાછું આપી દઈશ.
આ જ ઇન્ટરવ્યુમાં તેમણે મુંબઈ પોલીસની તપાસ પર સવાલ ઉઠાવીને કહ્યું કે પોલીસે અત્યાર સુધી આ ચાર લોકૉને કોઈ સમન કેમ નથી મોકલ્યું ? આ નામ છે કરણ જોહર, આદિત્ય ચોપરા, મહેશ ભટ્ટ અને રાજીવ મસંદ. કંગના અનુસાર આ ચાર લોકોને બોલાવીને કેસના સંબંધમાં પૂછપરછ કરવી જોઈએ.
કંગનાએ કહ્યું કે 'હું એમ નથી કહી રહી કે કોઈની ઈચ્છા હતી કે સુશાંત મરી જાય પણ નિશ્ચિત રૂપથી તે લોકોની ઇચ્છા હતી કે તે બરબાદ થઇ જાય. આ લોકો ભાવનાત્મક ગીધ જેવા હોય છે. તે જોવા માંગે છે કે કોઈ વ્યક્તિ પોતે જ પોતાની જાતને લીંચ કરી નાખે. મુંબઈ પોલીસ કેમ કરણ જોહર, આદિત્ય ચોપરા, મહેશ ભટ્ટ અને રાજીવ મસંદને નથી બોલાવી રહી ? તે શક્તિશાળી છે એટલે ?'