બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌત અને તેના ફેન્સ માટે એક ખરાબ સમાચાર છે. કોર્ટે તેના વિરુદ્ધ વોરંટ જાહેર કર્યુ છે.
કંગના ફસાઇ ફરી મુશ્કેલીમાં
કોર્ટે જાહેર કર્યુ કંગના વિરુદ્ધ વૉરંટ
જાવેદ અખ્તર કોર્ટમાં રહ્યાં હાજર
કંગનાને આ વોરંટ હિન્દી સિનેમાના મશહૂર લેખક અને ગીતકાર જાવેદ અખ્તરની માનહાની મામલે આપવામાં આવ્યો છે. ગયા વર્ષે જાવેદ અખ્તરે કંગના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
કેમ કરી હતી ફરિયાદ
અભિનેત્રી કંગના વિરુદ્ધ તેમણે ત્યારે ફરિયાદ નોંધાવી જ્યારે કંગનાએ તેના એક ઇન્ટરવ્યૂમાં સુશાંતના મોત મુદ્દે જાવેદ અખ્તર પર અપમાનજનક ટિપ્પણી કરી હતી. કંગનાએ પણ આ જ આરોપો વિરુદ્ધ માનહાનિનો કેર કર્યો હતો.
મહત્વનું છે કે પહેલા મેજીસ્ટ્રેટ કોર્ટે આ મામલે 1 ફેબ્રુઆરીએ સુનાવણી કરી હતી તે સમયે કંગનાને કોર્ટમાં હાજર રહેવા આદેશ આપ્યો હતો પરંતુ કંગના કોર્ટમાં હાજર રહી નહોતી. આગળની સુનાવણી 1 માર્ચના રોજ કરવામાં આવી હતી. કોર્ટે અભિનેત્રી વિરુદ્ધ વોરંટ જાહેર કર્યુ છે.
સોમવારે જ્યારે આ મામલાની સુનાવણી થઇ ત્યારે જાવેદ અખ્તર કોર્ટમાં સમયે પહોંચી ગયા હતા. તેની વકીલ વૃંદા ગ્રોવરે તેનો પક્ષ પણ રાખ્યો તો બીજી તરફ કંગનાના વકીલ આ સુનાવણી પર નહોતા પહોંચ્યા. અભિનેત્રીના જુનીયર વકીલે જણાવ્યું કે કંગના તરફથી સિનીયર વકીલ બપોરે આવશે, જેના પર મેજીસ્ટ્રેટ આર આર ખાને ખુબ ખખડાવ્યા હતા.
Kangana Ranaut's lawyer, who was present at the court, tells it that they want to challenge the summons in a higher court. Next hearing on 26th March. https://t.co/RK1PEZprJA
કંગના વિરુદ્ઘ વોરંટ જાહેર થયા બાદ તેના વકીલે કહ્યું કે વોરંટ વિરુદ્ધ તે હાઇકોર્ટમાં કેસ લડશે. આ મામલે આગળની સુનાવણી 26 માર્ચના રોજ થશે. આ પહેલા કંગના રનૌતને મુંબઇ પોલીસે સમન આપ્યુ છે. આ સમન અભિનેત્રીને અદાલતમાં હાજર થવા માટે આપવામાં આવ્યું હતુ.
સુશાંત મુદ્દે ટિપ્પણી
સુશાંત સિંહ રાજપૂત કેસમાં કંગનાએ બોલિવૂડના દિગ્ગજ લોકો વિશે ટિપ્પણીઓ કરી હતી જેમાં જાવેદ અખ્તરનું નામ પણ સામેલ હતું. કંગનાએ જાવેદ પર ટિપ્પણી કરી તેના જવાબમાં જાવેદે કહ્યું હતું કે તે ટેલેન્ટેડ દીકરી છે તેને આ બધુ છોડીને એક્ટિંગ પર ધ્યાન આપવુ જોઇએ તેમ છતાં કંગનાએ અપમાનજનક ટિપ્પણી કરીને જાવેદ અખ્તરને જેમ તેમ કહ્યું હતું.