વર્તમાનમાં અભુનેત્રી કંગના રણૌત અને શિવસેના વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે. કંગનાએ મુંબઈ પર આપેલા એક નિવેદન બાદથી શિવસેના સતત તેના પર પ્રહાર કરી રહી છે જેમાં સંજય રાઉત સૌથી વધારે આક્રમક છે. પરંતુ શિવસેના-કંગના રણૌત વચ્ચેના વિવાદમાં હવે અમદાવાદની એન્ટ્રી થઇ ગઈ છે.
શિવસેના-કંગના રણૌત વિવાદમાં અમદાવાદની એન્ટ્રી
શિવસેનાના નેતા સંજય રાઉતનું અમદાવાદ પર વિવાદીત નિવેદન
અમદાવાદની સરખામણી પાકિસ્તાન સાથે કેમ?
કંગના પર પ્રહાર કરવામાં ભાન ભૂલી ગયા સંજય રાઉત
બોલિવૂડ અભિનેત્રી કંગનાએ મુંબઈની તુલના પાકિસ્તાનના કબ્જા હેઠળના પાકિસ્તાન સાથે કરી હતી. તે બાદ હવે સંજય રાઉતે કહ્યું કે તે યુવતી મહારાષ્ટ્રથી માફી માંગશે તો હું વિચાર કરીશ. સાથે જ તેમણે સવાલ કર્યો કે મુંબઈને મીની પાકિસ્તાન કહી રહી છે શું તેનામાં હિંમત છે અમદાવાદ વિશે આવું કહેવાની ?
If that girl (Actor Kangana Ranaut) will apologise to Maharashtra, then I will think about it (of apologising). She calls Mumbai a mini Pakistan. Does she have the courage to say the same about Ahmedabad?: Shiv Sena MP Sanjay Raut pic.twitter.com/GnUBd0ZTFO
સંજય રાઉત શું કહેવા માગે છે કે અમદાવાદમાં પાકિસ્તાન જેવી સ્થિતિ છે?
શિવસેના નેતા સંજય રાઉત વાતવાતમાં અમદાવાદ પર પ્રહાર કરી ગયા. કંગના પર પ્રહાર કરવા ગયેલા સંજય રાઉત જાણે ભાન ભૂલી ગયા હોય તેમ ગુજરાતની અસ્મિતા પર પ્રહાર કરી રહ્યા છે. શિવસેના નેતા સંજય રાઉત પોતાના વિવાદિત નિવેદનોથી સતત ચર્ચામાં રહે છે.અને આ વખતે તેમણે અમદાવાદ પર પ્રહાર કર્યા છે. ત્યારે અમદાવાદીઓ સવાલ કરી રહ્યા છે કે શું આ સત્તાનો નશો બોલી રહ્યો છે. સંજય રાઉત કહેવા માંગે છે કે અમદાવાદમાં પાકિસ્તાન જેવી સ્થિતિ છે ?
વર્તમાનમાં સુશાંત કેસ મુદ્દે ચાલી રહ્યો છે વિવાદ
રાજ્યસભા સાંસદ સંજય રાઉતે આ પહેલા કહ્યું હતું કે જે શહેરમાં કંગના રહે છે, જ્યાં તમે કમાઓ છો. ત્યાની પોલીસ વિશે જેમતેમ બોલવાની વાતો કરી ર્હ્હી છે. મુંબઈ પોલીસે હુમલાઓમાં લોકોને બચાવ્યા છે. કસાબને પકડ્યો છે. કોરોના સંકટમાં 50થી વધારે પોલીસકર્મીઓએ પોતાના જીવ આપી દીધા અને તે પોલીસ વિશે આ બધું બોલી રહી છે.