બોલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌત એવું નિવેદન આપી દે છે કે વિવાદ ઉભો થઇ જાય છે. હાલમાં જ 2024ની ચૂંટણી પર તેણે એવી ટ્વિટ કરી છે કે લોકો વિચારવા પર મજબૂર થઇ ગયા છે.
બોલીવૂડની પંગા ક્વિને કરી ટ્વિટ
ભાજપ માટે ખતરો ગણાવ્યો
જેહાદીઓએ કબ્જો જમાવ્યો છે
Instagram may be full of dumb people,it’s nonexistent IQ is intolerable,only good thing about it are small businesses that get exposure but now opposition is using these idiots to make holes in their own asses,it’s full of fools promoting wannabe western sleaze n hate for BJP 1/2
બોલીવૂડને નિશાના પર લેતી કંગનાએ ટ્વિટરની નીતિઓ પર સવાલ ઉઠાવવાની સાથે ઇન્સ્ટાગ્રામની નીતિઓ પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેણે ટ્વિટ કરીને કમ્યૂનિસ્ટો અને જેહાદીઓનો અડ્ડો ગણાવ્યો હતો અને 2024ની ચૂંટણીમાં ભાજપ માટે ખતરો પણ ગણાવ્યો હતો.
કંગના રનૌતે ટ્વિટર પર 2 ટ્વિટ કરી હતી. તેણે પહેલા ટ્વિટમાં કહ્યું કે, ઇન્સ્ટાગ્રામ ડમ્બ એટલે કે મૂરખ લોકોથી ભર્યુ છે. અહીં આઇક્યુની કમી અસહનીય છે. તેની એક સારી વાત છે કે નાના બિઝનેસને અહીં એક્સપોઝર મળી જાય છે પરંતુ હવે વિપક્ષ તેનો ઉપયોગ પોતાના માટે કરી રહ્યો છે. આ એવા મૂરખ લોકોથી ભર્યુ છ કે જે પશ્ચિમને પ્રમોટ કરે છે અને ભાજપ વિરુદ્ધ નફરત ફેલાવે છે.
It’s tik-tok of middle-class, these dumbos are hijacked by capitalists/communists/Jihadis, this can be a very big threat for BJP for 2024 elections,if these jokers can wear cycling shorts beneath shirts in the name of fashion, they can be manipulated for pretty much anything 2/2
કંગના અહીં જ ન થંભી પરંતુ તેણે વધુ એક ટ્વિટ કર્યુ અને કહ્યું કે, રિલ્સ મિડલ ક્લાસ ટીકટોક છે. આ મૂરખોએ કમ્યૂનિસ્ટો અને જેહાદીઓએ હાઇજેક કરી રાખ્યુ છે આ 2024 સુધી ભાજપ માટે ખતરો બની શકે તેમ છે. આ જોકરો જો ફેશનના નામ પર શર્ટ નીચે સાઇકલિંગ શોર્ટ પહેરી શકે છે તો કોઇ પણ વાતે ભ્રમિત કરી શકાય છે.
કંગનાની આ ટ્વિટ બાદ લોકો તેનાથી નાખુશ છે અને તેની વિચારધારા પર સવાલ ઉભા કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે આ પહેલા કંગનાએ ટ્વિટરની નીતિઓને લઇને સવાલ ઉભો કર્યો હતો.
કંગનાએ વેક્સિનને લઇને એવી ટ્વિટ કરી કે તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. એક્ટ્રેસ કોઇ પણ વાતે નિવેદન આપવાનુ ચુકતી નથી જેના કારણે તે ટ્રોલિંગનુ કારણ બની જાય છે.
કંગનાએ કરી ટ્વિટ
એક્ટ્રેસે હાલમાં જ પોતાની ટ્વિટમાં કહ્યું કે જે લોકો હજુ સુધી વેક્સિનને લઇને સરકાર પર દોષ લગાવી રહ્યા છે તે હવે આ જ વેક્સિનને લઇને આતુર થઇ રહ્યાં છે. આ ટ્વિટ જોઇને સોશ્યલ મિડીયા યુઝર્સ તેને ખરી ખોટી સંભળાવવા લાગ્યા હતા. કંગનાએ આ ટ્વિટ એવા સમયે કરી છે જ્યારે દેશમાં સૌથી વધારે કેસ સામે આવ્યા છે.
Now these anti national elements are desperate for the same vaccine they never wanted and campaigned against .... ha ha ha then you all hate me for laughing.... I agree it’s all very tragic but some of it is amusing as well .. ha ha ha https://t.co/s6Fbo7PLJV
કંગના રનૌત પોતાના ટ્વિટ્સને લઇને ઘણી ચર્ચામાં રહે છે. તેનું કહેવું છે કે ભારત દેશમાં વધારે આબાદી હોવાના કારણે લોકો મરી રહ્યાં છે. તેણે કહ્યું કે, દેશમાં આબાદી વધી જ રહી છે અને તેના કારણે લોકો મરી રહ્યાં છે. ત્રીજુ બાળક થવા પર તેમના પર ફાઇન લગાવવો જોઇએ અને તેમને જેલની સજા મળવી જોઇએ.
Now these anti national elements are desperate for the same vaccine they never wanted and campaigned against .... ha ha ha then you all hate me for laughing.... I agree it’s all very tragic but some of it is amusing as well .. ha ha ha https://t.co/s6Fbo7PLJV
કંગનાએ લખ્યું કે, હાં તે સાચી વાત છે કે ઇન્દિરા ગાંધી ઇલેક્શન હારી ગઇ હતી અને બાદમાં તેમને મારી નાંખવામાં આવ્યા હતા કારણકે તે આ મુદ્દે એક્શન લેવા માંગતા હતા.
Now these anti national elements are desperate for the same vaccine they never wanted and campaigned against .... ha ha ha then you all hate me for laughing.... I agree it’s all very tragic but some of it is amusing as well .. ha ha ha https://t.co/s6Fbo7PLJV
કંગનાની આ ટ્વિટ સોશ્યલ મિડીયા પર વાયરલ થઇ રહી છે અને લોકોના આ વાત પર મિક્સ રિએક્શન આવી રહ્યાં છે. કોઇ તેની વાતને સપોર્ટ કરી રહ્યું છે તો કોઇ ટ્રોલ કરી રહ્યું છે.