કંગના રનૌત અને શિવસેના વચ્ચે શબ્દ યુદ્ધ ચાલી રહ્યુ છે. ત્યારે એવું જણાઈ રહ્યું છે કે શિવસેના તેની સત્તાનો દુરઉપયોગ કરી રહી છે. હાલમાં મુંબઈમાં કંગનાની ઓફિસ તોડી પાડવાનો મામલો સામે આવ્યો છે. જેને પગલે રાજકારણ ગરમાયું છે. કંગના સતત ટ્વીટ કરી હકિકત જણાવવાની સાથે શિવસેના અને મહારાષ્ટ્રના સીએમ પર પ્રહાર પણ કરી રહી છે . જેને પગલે બીએમસીની બેવડી નીતિ તો સામે આવી જ છે પણ રાજ્યપાલે પણ નારાજગી વ્યક્ત કરી છે.
રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ વ્યક્ત કરી નારાજગી
કંગના અને મનિષ મલ્હોત્રાને આપવામાં આવી હતી નોટિસ
મનિષ મલ્હોત્રાને ખુલાસા માટે આપ્યો હતો 7 દિવસનો સમય
કંગનાની ઓફિસ પર 48 કલાકમાં કાર્યવાહી કરાઇ
મુંબઈમાં કંગના રનૌતની ઓફિસ તોડવાના મામલે ત્યાનાં રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે CMના સલાહકારને સમન્સ પાઠવ્યું છે. એટલું જ નહીં તેમણે સમન્સ પાઠવીને સલાહકાર પાસે જવાબ માગ્યો છે. તેઓ આ અંગે રિપોર્ટ કેન્દ્રને પણ મોકલી શકે છે.
ઉલ્લેખનીય છે કે કંગનાની ઓફિસ તોડવાના મુદ્દે બીએમસીની બેવડી નીતિ પણ છતી થઈ છે. બીએમસી દ્વારા કંગના અને મનિષ મલ્હોત્રાને નોટિસ આપવામાં આવી હતી. આ કેસમાં મનિષ મલ્હોત્રાને ખુલાસા માટે 7 દિવસનો સમય આપ્યો હતો. જ્યારે કંગનાની ઓફિસ પર 48 કલાકમાં કાર્યવાહી કરાઇ છે. બન્ને ગેરકાયદે બાંધકામને લઇ નોટિસ આપવામાં આવી હતી. નોંધનીય છે કે મનિષ મલ્હોત્રા જાણીતા ફૈશન ડિઝાઇનર છે.