આલિયા ભટ્ટે ગંગુબાઈ કાઠિયાવાડીની ભૂમિકા ભજવી એ સમયે કંગનાએ આલિયાને ખૂબ ટ્રોલ કરી હતી પણ હવે કંગના રનૌત પોતે જ સેક્સ વર્કરનો રોલ નિભાવવા જઈ રહી છે
કંગના રનૌત સેક્સ વર્કરનો રોલ નિભાવવા જઈ રહી
આ મહિલાની બાયોપિકમાં નજર આવશે કંગના
નટીએ પોતે જ પોતાની બાયોગ્રાફીમાં ખુદને પ્રોસ્ટીટ્યુટ કહી હતી
બૉલીવુડમાં પોતાના વિવાદિત નિવેદનો અને એક્ટિંગને કારણે ચર્ચામાં રહેતી કંગના ફરી એક વખત તેની નવી ફિલ્મ માટે ચર્ચામાં આવી છે. આપણે બધા જાણીએ છીએ કે થોડા સમય પહેલા આલિયા ભટ્ટે સેક્સ વર્કર ગંગુબાઈ કાઠિયાવાડીની ભૂમિકા ભજવી હતી, ત્યારે કેટલાક લોકોએ તેના વખાણ કર્યા હતા, કેટલાક લોકોએ તેની ટીકા કરી હતી અને તેની ટીકા કરવાના લિસ્ટમાં કંગના રનૌતનું નામ પણ શામેલ હતુંછે. એ સમયે કંગનાએ આલિયાને ખૂબ ટ્રોલ કરી હતી પણ રિપોર્ટ અનુસાર કંગના રનૌત પોતે જ સેક્સ વર્કરનો રોલ નિભાવવા જઈ રહી છે અને તમને જણાવી દઈએ કે તેને પોતે જ આ વાતનો ખુલાસો કર્યો હતો.
આ મહિલાની બાયોપિકમાં નજર આવશે કંગના
કંગના રનૌતે હાલમાં જ તેની નવી એક બાયોપિકની જાહેરાત કરી હતી અને આ બાયોપિકમાં તે નો બંગાળની થિયેટર આર્ટિસ્ટ નટી બિનોદિનીનું પાત્ર ભજવતી નજર ચઢશે. પણ અહિયાં સવાલ એ છે કે તે એક થિયેટર આર્ટિસ્ટ હોવાને છતાં વેશ્યા કેમ કહેવામાં આવી?
કોણ હતી નટી બિનોદિની
કંગના રનૌતે આ બાયોપિકની જાહેરાત કરી ત્યારથી લોકો નટી બિનોદિની વિશે વધુ જાણવા માંગે છે. જણાવી દઈએ કે નટી બિનોદિનીનો જન્મ કોલકાતામાં એક વેશ્યાવૃત્તિ સમાજમાં થયો હતો પણ નટી એક અભિનેત્રી બની. એમને તેમના ઍક્ટિંગ કરિયરની શરૂઆત 12 વર્ષની ઉંમરે કરી હતી અને 23 વર્ષની ઉંમરે એમને કામ કરવાનું છોડી દીધું હતું. નટીનો પરિવાર ખૂબ જ ગરીબ હતો અને એમ કહેવાતું હતું કે એ પણ વેશ્યાવૃત્તિમાં સામેલ હતી. જાણીને નવાઈ લાગશે કે નટીએ પોતે જ પોતાની બાયોગ્રાફીમાં ખુદને પ્રોસ્ટીટ્યુટ કહી હતી. નટીના લગ્ન માત્ર પાંચ વર્ષની ઉંમરે થઈ ગયા હતા એ છતાં તેના પતિ સાથે કોઈ સંબંધ નહતા.
નટીનું ટૂંકું કરિયર
નટી બિનોદિનીએ ગ્રેટ નેશનલ થિયેટરમાં દ્રૌપદીની એક નાના રોલથી ડેબ્યૂ કર્યું હતું. એમને બંગાળ થિયેટરમાં પણ કામ કર્યું હતું. આ પછી નટ્ટીએ ગિરી ચંદ્ર ઘોષ પાસેથી અભિનય શીખ્યો અને 1883 માં બંનેએ સાથે સ્ટાર થિયેટર શરૂ કર્યું હતું. નટ્ટી એક સારી અભિનેત્રી હતી પરંતુ તેમ છતાં તેને સમાજમાં એ દરજ્જો ન મળ્યો જેની તે હકદાર હતી. જણાવી દઈએ કે નટીને લખવાનો ખૂબ જ શોખ હતો અને એમને જ પોતાની ઓટો બાયોગ્રાફી અમર કથા પણ લખીછે. આ સિવાય એમને ઘણી કવિતાઓ અને વાર્તાઓ પણ લખી છે. તમને જણાવી દઈએ કે નટીએ તેના જીવનમાં ઘણા મોટા કામ કર્યા છે પણ ખૂબ જ નાની ઉંમરે એમને દુનિયાને અલવિદા કહી દીધું હતું.