નરેન્દ્ર મોદી અને બીજેપીને લઇને કંગનાએ એક ટ્વિટ કર્યુ છે જે ખુબ વાયરલ થઇ રહ્યું છે. ભાજપને લઇને તેણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી માત્ર રાજનૈતિક પાર્ટી જ નથી પરંતુ તે એક પંથ છે. કંગનાએ કરેલ આ ટ્વિટ ખુબ જ વાયરલ થઇ રહી છે.
Looking at the current situation in the country it can be said that BJP is not a political party anymore it is a CULT and Narendra Modi is not just a leader anymore he is a RAGE ....
કંગના રનૌતે પોતાની ટ્વિટમાં ભાજપ અને પીએમ મોદી વિશે વાત કરતા લખ્યું કે, દેશની હાલની પરિસ્થિતિને જોઇને કહી શકાય કે ભાજપ હવે માત્ર રાજનૈતિક પાર્ટી નથી રહી પરંતુ તે એક પંથ બની ચૂકી છે. નરેન્દ્ર મોદી પણ એક નેતા નહી પણ એક ઉત્સાહ છે. કંગના પોતાની આ ટ્વિટને લઇને ચર્ચામાં આવી છે. ખેડૂતોને લઇને કંગના અને દિલજીત દોસાંજ વચ્ચે ટ્વિટર વૉર પણ થઇ હતી.
કંગના રનૌત હાલમાં તેજસ ફિલ્મની શૂટિંગમાં બિઝી છે. આ ફિલ્મની શૂટિંગ માટે તે હાલમાં જ દિલ્હી પહોંચી છે. જેનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.
મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ નિવેદન
બોલીવૂડ અભિનેત્રી કંગના અને તેની બહેન રંગોલી પર કેસ ચાલી રહ્યો છે. ત્યારે કંગનાએ શિવસેના વિરુદ્ધ નિવેદન આપ્યુ છે.
કંગનાએ પોતાની જીંદગી પર ખતરો બતાવતા કેસને મુંબઇથી હિમાચલ પ્રદેશન ટ્રાંસફર કરવાની વિનંતી કરી છે. કંગનાનુ કહેવું છે કે, જો મુંબઇમાં જ આ કેસ ચાલ્યો તો તેના જીવન પર ખતરો છે, તેનો જીવ પણ જઇ શકે છે.
કંગના અને રંગોલી પર મુંબઇમાં ત્રણ ક્રિમીનલ કેસ ચાલી રહ્યાં છે. વકીલ અલી કાશિફ ખાન દેશમુખે અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ અંધેરી મેજીસ્ટ્રેટ કોર્ટ સમક્ષ અપરાધિક ફરિયાદ નોંધાવી હતી. આવામાં કંગનાએ પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે શિવસેના જાણીજોઇને તેને હેરાન કરવામાં આવી રહી છે. એક્ટ્રેસનું કહેવું છે કે મુંબઇમાં તેમના જીવને ખતરો છે.
કેમ કરી હતી ફરિયાદ
અભિનેત્રી કંગના વિરુદ્ધ તેમણે ત્યારે ફરિયાદ નોંધાવી જ્યારે કંગનાએ તેના એક ઇન્ટરવ્યૂમાં સુશાંતના મોત મુદ્દે જાવેદ અખ્તર પર અપમાનજનક ટિપ્પણી કરી હતી. કંગનાએ પણ આ જ આરોપો વિરુદ્ધ માનહાનિનો કેર કર્યો હતો.
મહત્વનું છે કે પહેલા મેજીસ્ટ્રેટ કોર્ટે આ મામલે 1 ફેબ્રુઆરીએ સુનાવણી કરી હતી તે સમયે કંગનાને કોર્ટમાં હાજર રહેવા આદેશ આપ્યો હતો પરંતુ કંગના કોર્ટમાં હાજર રહી નહોતી. આગળની સુનાવણી 1 માર્ચના રોજ કરવામાં આવી હતી. કોર્ટે અભિનેત્રી વિરુદ્ધ વોરંટ જાહેર કર્યુ છે.