બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત અને શિવસેનાની લડાઇ આમને સામને થઇ ગઇ છે. કંગના રનૌતે અને સંજય રાઉતનુ વાકયુદ્ધ એટલુ તો આગળ વધ્યુ કે શિવસેના બુલડોઝર સાથે મેદાનમાં ઉતરી ગઇ અને કંગનાની ઑફિસ તોડી નાંખી, તો બીજી તરફ કંગના પણ લડવા માટે મુંબઇ પરત આવી ગઇ છે. તે બાદ ટ્વિટર પર કંગનાએ ઘણી બધી ટ્વિટ કરી છે અને સોમનાથ મંદિરનો ઉલ્લેખ કર્યો છે.
सुप्रभात दोस्तों यह फ़ोटो सोमनाथ टेम्पल की है, सोमनाथ को कितने दरिंदों ने कितनी बार बेरहमी से उजाड़ा, मगर इतिहास गवाह है क्रूरता और अन्याय कितने भी शक्तिशाली क्यूँ न हो आख़िर में जीत भक्ति की ही होती है, हर हर महादेव 🙏 pic.twitter.com/vZ5bgMCHrA
કંગનાએ પહેલા પોતાની ઑફિસને રામ મંદિર સાથે સરખાવી અને હવે તેણે સોમનાથ મંદિર સાથે સરખાવી છે. સોમનાથ મંદિરને પણ ઘણી વખત તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ તેમાં તે સફળ નહોતા થઇ શક્યા. લોકોની ભક્તિ દ્વારા મંદિર ફરીથી ઉભુ થઇ ગયુ છે.
Dear respected honourable @INCIndia president Sonia Gandhi ji being a woman arn’t you anguished by the treatment I am given by your government in Maharashtra? Can you not request your Government to uphold the principles of the Constitution given to us by Dr. Ambedkar?
કંગના સારી રીતે જાણે છે કે તેને હવે શું કરવાનુ છે અને લોકો સુધી તેની વાત કઇ રીતે પહોંચાડવાની છે. કંગના તેના વિવાદીત નિવેદનો માટે ખૂબ જાણીતી છે, સાથે તે સોશ્યલ મિડીયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે.
કંગનાએ એક ટ્વિટ કરી અને લખ્યુ કે, આ તસવીર સોમનાથ મંદિરની છે, કેટલાક દરિંદાઓએ કેટલી વાર તોડી નાંખવાનો પ્રયત્નો કર્યા પણ તેમાં તે સફળ ન થઇ શક્યા, છેલ્લે જીત તો ભક્તિની જ થાય છે. હર હર મહાદેવ.
કંગનાએ એક વાર ફરી ઉદ્ધવ સરકાર પર નામ લીધા વગર હુમલો કર્યો છે. તેણે કહ્યું કે તેને વિશ્વાસ છે કે તેની ઑફિસ ફરી એક વાર ઉભી થશે, અને મજબૂત પાયા સાથે ઉભી થશે. સાથે કંગનાની માતાએ પણ શિવસેના પર રોષ ઠાલવ્યો હતો, તેમણે કહ્યું કે શિવસેના કાયરોની સેના છે અને તે દીકરીના બચાવમાં આવી છે આ સાથે જ તેમણે ભાજપનો છેડા પકડી લીધો છે.