કંગના રનૌત પોતાના નિવેદનોના કારણે જાણીતી છે. વર્ષ 2020થી મહારાષ્ટ્ર સરકાર સાથે તેનો પંગો ચાલતો આવે છે. હાલમાં જ લૉકડાઉનને લઇને તેનુ નિવેદન આવ્યુ છે.
કંગનાએ સાધ્યો ઉદ્વવ સરકાર પર નિશાનો
પંગા ગર્લે ફરી લઇ લીધો પંગો
મહારાષ્ટ્ર લોકડાઉનની કરી વાત
એક્ટ્રેસ અને સરકાર વચ્ચે એટલી કડવાશ આવી ગઇ છે કે મહારાષ્ટ્ર સરકારે કંગનાની ઓફિસમાં તોડફોડ કરી નાંખી હતી. કંગનાએ ત્યારે પણ મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યુ હતુ અને આજે પણ તેણે લૉકડાઉનને લઇને ઉદ્વવ સરકારને આડેહાથ લીધી છે.
કંગના રનૌતે ટ્વિટ કરી છે અને તેની સાથે તસવીર શૅર કરીને લખ્યું કે, મહારાષ્ટ્રમાં લૉકડાઉન આવુ જ છે. એક્ટ્રેસની આ તસવીર સોશ્યલ મિડીયામાં ખુબ વાયરલ થઇ રહી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના આંકડાઓએ જ્યારે રેકોર્ડ તોડ્યો ત્યારે સરકાર પાસે લૉકડાઉન કરવા સિવાય કોઇ જ વિકલ્પ નહોતો. ત્યારે તેમણે 15 દિવસનું લોકડાઉન આપી દીધુ હતુ. આ લૉકડાઉનને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. રસ્તા પરથી ગાડીઓ તો ગાયબ છે પરંતુ શાકભાજીના માર્કેટમાં ખુબ ભીડ જોવા મળે છે.
કંગનાની આ ટ્વિટ પર એક યુઝરે લખ્યું કે કંગના હવે ગણી ગણીને મહારાષ્ટ્ર સરકાર પાસે બદલો લઇ રહી છે. તો બીજાએ લખ્યું કે લાગે છે કે સંજય રાઉતની ખુરશી પાડીને જ કંગના રાહતનો શ્વાસ લેશે.
અનિલ દેશમુખના રાજીનામાં પર નિવેદન
એક ટ્વિટર યુઝરે કંગના રાનૌતનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે કહી રહી છે કે, 'આજે મારું ઘર તૂટ્યુ છે, કાલે તારું ઘમંડ તૂટી જશે, આ સમયનું ચક્ર છે, યાદ રાખજે કે હંમેશા પરિસ્થિતિ સરખી હોતી નથી.' કંગના રાનૌતે તેને રિટ્વીટ કર્યું હતું અને લખ્યું હતું કે, "જે સાધુઓની હત્યા અને સ્ત્રીનું અપમાન કરે છે તેમનુ પતન નિશ્ચિત છે, આ તો માત્ર શરૂઆત છે, આગળ જુઓ શું થાય છે?" આ સાથે અભિનેત્રીએ હેશટેગ સાથે અનિલ દેશમુખ અને ઉદ્ધવ ઠાકરેના નામ લખ્યા છે.
બોમ્બે હાઈકોર્ટના નિર્ણય બાદ ગૃહમંત્રી અનિલ દેશમુખે રાજીનામું આપી દીધું છે. ત્યારે મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહની અરજી પર બોમ્બે હાઈકોર્ટે ચુકાદો આપતી વખતે અનિલ દેશમુખ વિરુદ્ધ સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે.
તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર 2020માં BMCએ કંગના રાનૌતની ઓફિસમાં તોડફોડ કરી હતી. બાદમાં કંગના રાનૌતે એક વીડિયો દ્વારા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આ કામગીરી પર આકરી પ્રતિક્રિયા આપી.