કંગના રનૌતે કહ્યું કે માત્ર ભૂખ હડતાલ અને દાંડી માર્ચને કારણે જ આઝાદી નથી મળી. હું નેતાવાદી છું.
કંગનાએ કહ્યું કે આઝાદી માત્ર ભૂખ હડતાળથી જ નથી મળી
હું નેતાવાદી છું - કંગના રનૌત
આ પહેલા વિવાદાસ્પદ નિવેદનને કારણે ટ્વીટર પરથી બેન થઇ હતી કંગના
કંગનાએ કહ્યું કે આઝાદી માત્ર ભૂખ હડતાળથી જ નથી મળી
પોતાની ફિલ્મો કરતા વધારે પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચાઓમાં રહેનાર કંગના રનૌત દરેક મુદ્દા પર પોતાનો ઓપિનિયન આપે છે. તેમના નિવેદનો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ જાય છે, જેને લઈને એક્ટ્રેસ ટ્રોલ પણ થાય છે. હાલમાં જ એક્ટ્રેસે આવું જ એક નિવેદન આપ્યું છે, જેને લઈને તેની ખૂબ જ નિંદા કરવામાં આવી રહી છે. પોતાની અપકમિંગ ફિલ્મ 'ઈમરજન્સી'માં પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનું પાત્ર ભજવનાર કંગનાએ મહાત્મા ગાંધીનાં દાંડી માર્ચ આંદોલન અને ભૂખ હડતાલને લઈને મોટું નિવેદન આપ્યું છે.
રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધી 'રાજપથ'નું નામ બદલીને 'કર્તવ્ય પથ' કરવામાં આવ્યું છે. સાથે જ ત્યાં નેતાજી સુભાષ ચન્દ્ર બોસની 28 ફૂટ ઉંચી હોલોગ્રામ મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે, જેનું પીએમ મોદીએ અનાવરણ કર્યું અને કર્તવ્ય પથનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમ દરમિયાન કંગના રનૌત પણ ત્યાં હાજર રહી.
ત્યાર બાદ અભિનેત્રીએ મહાત્મા ગાંધીના આંદોલન દાંડી માર્ચ અને ભૂખ હડતાલને લઈને વિવાદાસ્પદ નિવેદનો આપ્યા. કંગનાએ કહ્યું કે આપણને દાંડી માર્ચ કે ભૂખ હડતાલ કરીને જ આઝાદી મળી છે, તો એવું નથી. અભિનેત્રી આગળ કહે છે કે આઝાદી દરમિયાન નેતાજી અને સાવરકરજીનાં સંઘર્ષને ઇગ્નોર ન કરી શકાય. આવું પહેલીવાર નથી કે દેશની આઝાદી કે આંદોલન પર આ પ્રકારનું નિવેદન કોઈએ આપ્યું હોય.
આ પહેલા વિવાદાસ્પદ નિવેદનને કારણે ટ્વીટર પરથી બેન થઇ હતી કંગના
આ પહેલા પણ તે ઘણી વખત આવા નિવેદન આપીને ચર્ચામાં આવી ચુકી છે. અભિનેત્રીએ ગયા વર્ષે 2021 માં પણ આવું જ નિવેદન આપ્યું હતું, જેમાં કહ્યું હતું કે 'વાસ્તવિક સ્વતંત્રતા 2014 માં પ્રાપ્ત થઈ છે, જ્યારે નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવી હતી. 1947માં દેશને જે આઝાદી મળી હતી તે ભીખ માંગવામાં મળી હતી. કંગનાનું નિવેદન સામે આવ્યા બાદ તેનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું.
ત્યાર બાદ કંગનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે મેં સાચું કહ્યું કે 1857ની ક્રાંતિ, પહેલો સ્વતંત્રતા સંગ્રામ હતી, જેને દબાવી દેવામાં આવી હતી અને તેના પરિણામસ્વરૂપે અંગ્રેજોની ક્રુરતા વધી ગઈ અને લગભગ એક સદી સુધી આપણને ગાંધીનાં ભીખનાં કટોરામાં આઝાદી મળી.