ગુરુવારે મુંબઈની ઓફિસમાં તોડફોડ બાદ કંગના રનૌતે તેની મુલાકાત લીધી હતી, જે બાદ તેને ટ્વિટ કરી હતી. ટ્વિટમાં કંગનાએ હર હર મહાદેવ લખ્યું હતું. ટ્વીટમાં કાશ્મીરના ડો.અગ્નિશેખર તેને આશીર્વાદ આપી રહ્યા છે. કંગનાએ બુધવારે ઉદ્ધવ ઠાકરેને પડકારતી વીડિયો શેર કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે હવે તે કાશ્મીરી પંડિતો પર ફિલ્મ બનાવશે. આ અંગે તેને ડો.અગ્નિશેખરનો ટેકો મળ્યો હતો.
BMC ની કાર્યવાહી બાદ કંગના રનૌત તેનું નિરીક્ષણ કરવા પહોંચી હતી
પોતાની તૂટેલી ઓફિસ જોયા પછી કંગનાએ ટ્વિટ કર્યું - હર હર મહાદેવ
શિવસેના અને કંગના વચ્ચેના વિવાદ બાદ BMC એ તોડી હતી કંગનાની ઓફિસ
આ વીડિયોમાં ડોક્ટર અગ્નિશેખર જણાવી રહ્યા છે કે તેઓ કાશ્મીરી પંડિતો પર ફિલ્મ બનાવવાના કંગનાના નિર્ણયને આવકારે છે. તે જ સમયે, કાશ્મીરી પંડિતો વતી, તેઓ તેમને આશીર્વાદ પણ આપી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે તેઓ કંગનાને શક્ય તેટલું સમર્થન આપશે.
કોઈએ નથી ઉઠાવ્યો કાશ્મીરીઓ માટે અવાજ : ડો. અગ્નિશેખર
અગ્નિશેખર કહે છે કે કાશ્મીરી પંડિતો માટે કોઈએ અવાજ ઉઠાવ્યો નથી, આ સ્થિતિમાં કંગના કાશ્મીરી પંડિતોનું શું થયું તે જાણીને દુ:ખ થાય છે અને હવે તે તેના પર ફિલ્મ બનાવશે, અગ્નિશેખર અને અન્ય કાશ્મીરી પંડિતો આનું સ્વાગત કરે છે, સાથેજ તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ કંગનાના આ નિર્ણયને લીધે ભાવુક બની ગયા છે.
નોંધનીય છે કે બુધવારે BMC એ કંગનાની ઓફિસમાં તોડફોડ કરી હતી, ત્યારબાદ તેણે ઉદ્ધવ ઠાકરેના નામે એક વીડિયો બનાવ્યો હતો. આમાં તેણે કહ્યું હતું કે હવે તેમને ખબર પડી ગઈ છે કે કાશ્મીરી પંડિતો પર શું થશે અને તેથી જ તે કાશ્મીરી પંડિતો પર ફિલ્મ બનાવશે. જ્યારે કેટલાક ચાહકોએ કંગનાની આ વાત પર ટેકો દર્શાવ્યો હતો, ત્યાં ઘણા એવા પણ હતા જેમણે તેનો વિરોધ કર્યો હતો.
શું છે મામલો?
9 સપ્ટેમ્બરના રોજ, જ્યારે કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે ચાલી રહેલી લડાઇમાં અભિનેત્રી મુંબઈ પહોંચી ત્યારે BMC એ તેની ઓફિસને તોડફોડ કરી હતી. આવી સ્થિતિમાં કંગનાએ પોતાની નારાજગી વ્યક્ત કરતાં વીડિયો પણ શેર કર્યો હતો. કંગના મહારાષ્ટ્ર સરકારના આ પગલાથી નારાજ છે.
નારાજ કંગના BMC વિરુદ્ધ એક્શન લેવાના મૂડમાં
કંગનાના વકીલ રિઝવાન સિદ્દીકીએ કહ્યું કે કંગના દરેક બાબતોથી ખૂબ નારાજ છે. આ ઓફિસ તેના સપનાની ઓફિસ હતી. પરંતુ કંગના શક્તિશાળી મહિલા છે. વકીલે એમ પણ કહ્યું કે BMCએ કોઈના કહેવાથી આ ગેરકાયદેસર પગલું ભર્યું છે. કંગનાની ઑફિસમાં કુલ 2 કરોડનું નુકસાન થયું છે. વકીલે એમ પણ કહ્યું કે બીએમસીના આ ગેરકાયદેસર પગલા પર કંગનાએ મુંબઈ હાઈકોર્ટમાં એફિડેવિટ નોંધાવી છે. તેમનું કહેવું છે કે અભિનેત્રી BMC ના અધિકારીઓ વિરુદ્ધ ગુનાહિત કાર્યવાહી કરશે.
શું છે શિવસેનાનું સ્ટેન્ડ?
આ મુદ્દે જો કે શિવસેનાને તેના કોઈ સાથી પક્ષોનો સાથ મળ્યો નથી, અને શિવસેના સુપ્રીમો અને મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે પણ જાહેરમાં કંગના વિશે કશું બોલ્યા નથી, પરંતુ શિવસેનાનું મુખપત્ર સામના આ વિશે ચૂપ રહ્યું નથી, તેણે લખ્યું છે કે મુંબઈનું અપમાન કરનારાઓનાં નામ મહારાષ્ટ્રના ઇતિહાસમાં ડામરથી લખવામાં આવશે. આ લોકોએ હવે રાષ્ટ્રવાદની ધૂન વગાડવી જોઈએ નહીં.કંગના રનૌતને વાય કેટેગરીની સુરક્ષા આપવાના મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કરવાંઅ આવ્યા છે