બોલીવૂડની કોન્ટ્રોવર્સી ક્વિન કંગનાએ ફરી એક ચોંકાવનારુ નિવેદન આપ્યુ છે. ઘણી વાર તે એવી વાત કરે છે તે પોતાના શબ્દોમાં જ ફસાઇ જાય છે. હાલમાં તેણે વસ્તી વધારા પર નિવેદન આપ્યુ છે.
કંગના રનૌતનું ફરી નિવેદન
ભારતની વસ્તી પર કરી કમેન્ટ
કંગના છે બોલીવૂડની કોન્ટ્રોવર્સી ક્વિન
કંગનાએ કરી ટ્વિટ
કંગના રનૌત પોતાના ટ્વિટ્સને લઇને ઘણી ચર્ચામાં રહે છે. તેનું કહેવું છે કે ભારત દેશમાં વધારે આબાદી હોવાના કારણે લોકો મરી રહ્યાં છે. તેણે કહ્યું કે, દેશમાં આબાદી વધી જ રહી છે અને તેના કારણે લોકો મરી રહ્યાં છે. ત્રીજુ બાળક થવા પર તેમના પર ફાઇન લગાવવો જોઇએ અને તેમને જેલની સજા મળવી જોઇએ.
કંગનાએ લખ્યું કે, હાં તે સાચી વાત છે કે ઇન્દિરા ગાંધી ઇલેક્શન હારી ગઇ હતી અને બાદમાં તેમને મારી નાંખવામાં આવ્યા હતા કારણકે તે આ મુદ્દે એક્શન લેવા માંગતા હતા.
We need strict laws for population control, enough of vote politics it’s true Indira Gandhi lost election and later was killed for taking this issue head on she forcefully sterilised people but looking at crisis today at least there should be fine or imprisonment for third child.
કંગનાની આ ટ્વિટ સોશ્યલ મિડીયા પર વાયરલ થઇ રહી છે અને લોકોના આ વાત પર મિક્સ રિએક્શન આવી રહ્યાં છે. કોઇ તેની વાતને સપોર્ટ કરી રહ્યું છે તો કોઇ ટ્રોલ કરી રહ્યું છે.
મહારાષ્ટ્ર સરકાર પર ટ્વિટ
કંગના રનૌતે ટ્વિટ કરી છે અને તેની સાથે તસવીર શૅર કરીને લખ્યું કે, મહારાષ્ટ્રમાં લૉકડાઉન આવુ જ છે. એક્ટ્રેસની આ તસવીર સોશ્યલ મિડીયામાં ખુબ વાયરલ થઇ રહી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના આંકડાઓએ જ્યારે રેકોર્ડ તોડ્યો ત્યારે સરકાર પાસે લૉકડાઉન કરવા સિવાય કોઇ જ વિકલ્પ નહોતો. ત્યારે તેમણે 15 દિવસનું લોકડાઉન આપી દીધુ હતુ. આ લૉકડાઉનને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. રસ્તા પરથી ગાડીઓ તો ગાયબ છે પરંતુ શાકભાજીના માર્કેટમાં ખુબ ભીડ જોવા મળે છે.
કંગનાની આ ટ્વિટ પર એક યુઝરે લખ્યું કે કંગના હવે ગણી ગણીને મહારાષ્ટ્ર સરકાર પાસે બદલો લઇ રહી છે. તો બીજાએ લખ્યું કે લાગે છે કે સંજય રાઉતની ખુરશી પાડીને જ કંગના રાહતનો શ્વાસ લેશે.
અનિલ દેશમુખના રાજીનામાં પર નિવેદન
એક ટ્વિટર યુઝરે કંગના રાનૌતનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે કહી રહી છે કે, 'આજે મારું ઘર તૂટ્યુ છે, કાલે તારું ઘમંડ તૂટી જશે, આ સમયનું ચક્ર છે, યાદ રાખજે કે હંમેશા પરિસ્થિતિ સરખી હોતી નથી.' કંગના રાનૌતે તેને રિટ્વીટ કર્યું હતું અને લખ્યું હતું કે, "જે સાધુઓની હત્યા અને સ્ત્રીનું અપમાન કરે છે તેમનુ પતન નિશ્ચિત છે, આ તો માત્ર શરૂઆત છે, આગળ જુઓ શું થાય છે?" આ સાથે અભિનેત્રીએ હેશટેગ સાથે અનિલ દેશમુખ અને ઉદ્ધવ ઠાકરેના નામ લખ્યા છે.
બોમ્બે હાઈકોર્ટના નિર્ણય બાદ ગૃહમંત્રી અનિલ દેશમુખે રાજીનામું આપી દીધું છે. ત્યારે મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહની અરજી પર બોમ્બે હાઈકોર્ટે ચુકાદો આપતી વખતે અનિલ દેશમુખ વિરુદ્ધ સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે.
તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર 2020માં BMCએ કંગના રાનૌતની ઓફિસમાં તોડફોડ કરી હતી. બાદમાં કંગના રાનૌતે એક વીડિયો દ્વારા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આ કામગીરી પર આકરી પ્રતિક્રિયા આપી.