બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે તેની મહેનતના દમ પર બોલિવૂડમાં ટોચનું મુકામ હાંસલ કર્યું છે. તેણે હાલમાં જ મુંબઈના પ્રાઈમ લોકેશન પાલી હિલ પર એક વર્ક સ્ટૂડિયો ખરીદ્યો છે. આ આલીશાન ઓફિસની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. કંગનાએ આ પ્રોપર્ટી 48 કરોડ રૂપિયામાં ખરીદી છે. ત્યારે તેણે જણાવ્યું કે આ પ્રોપર્ટી ખરીદવાની વાત પર તેની ફેમિલીનું કેવું રિએક્શન હતું.
કંગના રનૌતે મુંબઈમાં ખરીદી કરોડોની પ્રોપર્ટી
કંગનાનું આલીશાન વર્ક સ્ટૂડિયો જોઈને આંખો થઈ જશે પહોળી
આ પ્રોપર્ટી ખરીદવા માટે કંગનાનો પરિવાર રાજી નહોતો
કંગના રનૌતે એક આલીશાન બંગલો ખરીદ્યો છે, જેને લઈને તે ચર્ચામાં આવી ગઈ છે. કંગનાએ પોતાનું પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્સ પણ ખોલ્યું છે. આ વર્ક સ્ટૂડિયોનો ઉપયોગ તે તેના માટે કરશે. લોકડાઉન પહેલાં તેણે અહીં ફોટોશૂટ પણ કરાવ્યું હતું.
આ પ્રોપર્ટી વિશે કંગના જણાવે છે કે, તે પોતાનો સ્ટૂડિયો બનાવવા માંગતી હતી, પરંતુ અમુક કારણોસર તે શક્ય ન થઈ શક્યું. મણિકર્ણિકા પછી સ્થિતિ બદલાઈ અને તેણે પોતાની પસંદથી ઓફિસ તૈયાર કરી. કંગનાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેના પરિવારજનો તેના આ નિર્ણયની વિરૂદ્ઘ હતા.
કંગનાને નેચરલ સ્પેસ જોઈતી હતી
કંગનાએ જણાવ્યું કે, તેના નજીકના સંબંધીઓએ તેને સમજાવી કે તેણે ભાડા પર જગ્યા લઈ લેવી જોઈએ. પણ કંગનાએ કહ્યું કે, તે કામચલાઉ કામ કરવા નહોતી માંગતી. તે પોતાની આસપાસ ઓર્ગેનિક ફેબ્રિક અને પ્લાન્ટ્સ લગાવવા માંગતી હતી.
તેના સીએએ પણ પ્રોપર્ટી ન ખરીદવાની આપી હતી સલાહ
કંગનાએ જણાવ્યું કે, તેના સીએએ પણ પ્રોપર્ટીની જગ્યાએ બોન્ડ્સમાં અથવા રેસ્ટોરન્ટમાં ઈન્વેસ્ટ કરવાની સલાહ આપી હતી. તેના પરિવારને પણ લાગતું હતું કે તે પૈસા બરબાદ કરી રહી છે. કંગનાએ કહ્યું કે, ઘરના લોકો મારી પાછળ પડી ગયા હતા પરંતુ હું હજી પર પરિવારની વિરૂદ્ધ જઉં છું. કંગનાએ કહ્યું આ ચેલેન્જ હતી અને હવે એ જોવાનું રહ્યું કે આ ઈન્વેસ્ટમેન્ટનો નિર્ણય કેટલો ફાયદાકારક સાબિત થાય છે.