બોલિવુડ ક્વીન કંગના રનૌત હાલ તેની ફિલ્મ મણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસીની રિલીઝની તૈયારીઓમાં વ્યસ્ત છે. ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. ત્યારે કંગના રનૌત હિમાચલના મંડીમાં કુળદેવીના દર્શન કરવા માટે પહોંચી હતી.
હિમાચલના મંડીમાં મહિષાસુરમર્દની મંદિરમાં દેવી માના દર્શન કરીને કંગના રનૌતે જણાવ્યું કે આ મંદિર તેમને પોતે બનાવ્યું છે. તેમની માતાને સ્વપ્ન આવતાં હતા અને તેમના કુળદેવીનું મંદિર નહોંતું મળતું. અંતે તેમણે અહીં મંદિર બનાવ્યું હતું. તો કંગના રનૌતની ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે ફિલ્મ સફળ થાય તે માટે પણ કંગના રનૌતે કુળદેવીને પ્રાર્થના કરી હતી.
આપને જણાવી દઇએ કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઇની બાયોપિક મણકર્ણિકાનું ટીઝર સામે આવી ગયું છે. તેણીના ચહેરા પર ગુસ્સો હાથમાં તલવાર લઇને કંગના રાણાવત પૂરી રીતે એક યૌદ્ધા જોવા મળી રહી છે. આ પહેલા 15 ઓગસ્ટે એની પહેલી ઝલક સામે આવી હતી. પોસ્ટરમાં કંગના ઘોડે સવાર થઇને હાથમાં તલવાર લઇને અંગ્રેજો સામે લડતી નજરે જોવા મળી રહી છે.
ફિલ્મનું નિર્માણ ઝી સ્ટુડિયો દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં કંગના રાણાવત ઉપરાંતઅતુલ કુલકર્ણી તાત્યા ટોપે સોનૂ સૂદ સદાશિવ અને અંકિતા લોખંડે ઝલકારી બાઇની ભૂમિકામાં નજરે આવશે. ફિલ્મની રિલીઝ તારીખ આવતા વર્ષે 25 જાન્યુઆરી 2019એ રાખવામાં આવી છે.