બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતના મુંબઇ સ્થિત ઓફિસમાં 9 સપ્ટેમ્બરે બીએમસી દ્વારા કરવામાં આવેલી તોડફોડ ને લઇને બોમ્બે હાઇકોર્ટે નિર્ણય આપ્યો છે અને બીએમસીને કંગનાની ઓફિસના નુકસાનની ભરપાઇ કરવા આદેશ આપ્યો છે. તેવામાં મુંબઇના મેયરે કંગનાને અપશબ્દો કહ્યાં છે જેનાથી ખળભળાટ મચી જવા પામ્યો છે.
કંગનાને ખરીખોટી કહી મુંબઇના મેયરે
કંગનાએ આપ્યો વળતો જવાબ
ઋતિક અને આદિત્ય પંચોલીને ગણાવ્યા સારા માણસ
The amount of legal cases, abuses, insults, name calling I faced from Maharashtra government in these few months make Bollywood mafia and people like Aaditya Pancholi and Hrithik Roshan seem like kind souls ....
I wonder what is it about me that rattle people so much 🙂 https://t.co/by2VKQauZt
કોર્ટના નિર્ણય બાદ કિશોરી પેડનેકરે કહ્યું કે, દરેક લોકો જાણે છે કે એક એક્ટ્રેસ જે હિમાચલમાં રહે છે અને અહીં આવીને મુંબઇને પીઓકે કહે છે. આવા બે ટકાના લોકો માટે અદાલતને રાજનીતિક અખાડો બનાવવા ઇચ્છે છે આ ખોટી વાત છે.
કંગનાએ આપ્યો જવાબ
કંગનાએ મેયરના આ શબ્દો સાંભળીને પલટવાર કર્યો છે અને કહ્યું છે કે, છેલ્લા કેટલાક મહિનામાં મે મહારાષ્ટ્ર સરકાર તરફથી એટલા લીગલ કેસ, અપશબ્દો અને બદનામી સહન કરી છે કે તેની સામે બોલિવૂડ માફિયા, આદિત્ય પંચોલી, ઋતિક રોશન જેવા લોકો ભલા માણસ લાગવા લાગ્યા છે. મારામાં એવું તો શું છે કે લોકો મને આ રીતે હેરાન કરી રહ્યાં છે,.
કંગનાના નિવેદનો પર હાઇકોર્ટના સવાલ
કંગનાના નિવેદનો પર હાઇકોર્ટે કહ્યું કે, તેમણે આવા વિવાદાસ્પદ નિવેદનો ન આપવા જોઇએ અને જે પણ બોલે તે સમજી વિચારીને બોલવું જોઇએ. કોર્ટે કહ્યું કે વિષય ઑફિસમાં થયેલી તોડફોડનો હતો, ટ્વિટર પર થયેલી વૉર નહી. કંગના દ્વારા અપાયેલા નિવેદનો યોગ્ય નથી પણ હાલ તેના નિવેદનોને નજરઅંદાજ કરી દેવા જોઇએ.કોર્ટે કહ્યું કે કોઇ પણ વ્યક્તિ મૂર્ખતાપૂર્ણ વાત કરે પરંતુ રાજ્ય દ્વારા સમાજ પર બળનો ઉપયોગ ન કરવો જોઇએ. કોર્ટે સંજય રાઉતે કંગનાને ધમકી આપી રહ્યા છે તે સાહિત્યને વાંચીને બીએમસીની ઝાટકણી કરી છે.
કોર્ટે માન્યું કે આ દરેક વસ્તુ કંગનાને ધમકાવવાના ઇરાદાથી કરવામાં આવી છે અને બીએમસીનો ઇરાદો સારો ન હતો. કંગનાને આપવામાં આવેલી નોટિસ અને તોડફોડ બંને કંગનાને ધમકાવવા માટે હતી. કંગનાના ઑફિસની તોડફોડની ભરપાઇ કરવા માટે મૂલ્યાંકન કરવામાં આવશે અને આ મૂલ્યાંકનની જાણકારી કંગના તેમજ બીએમસી બંનેને હોવી જોઇએ.
કંગનાને આપશે બીએમસી પૈસા
કંગનાની ઑફિસમાં જે પણ તોડફોડ થઇ છે તેના માટે કંગના બીએમસીને આવેદન કરશે અને બીએમસી જ તે પૈસા કંગનાને ચૂકવશે, કોર્ટે કહ્યું કે ઑફિસના જે હિસ્સા ટૂટ્યા નથી તેને પણ બીજી વાર સુવ્યવસ્થિત કરવામાં આવે. કોર્ટનો આ નિર્ણય ઑફિસમાં થયેલી તોડફોડ બાદ લગભગ 2 મહિના બાદ આવ્યો છે.