અભિનેત્રી કંગના રણૌતની આગામી ફિલ્મ મણિકર્ણિકાઃ ધી ક્વીન ઓફ ઝાંસી આગામી 25મી જાન્યુઆરીના રોજ દેશભરમાં રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે આ મામલે કરણીસેનાને અભિનેત્રી કંગના રણૌતે સણસણતો જવાબ ચોપડી દીધો છે. કંગના રણૌતે કહ્યું કે મને હેરાન ના કરશો. મને હેરાન કરી તો હું કરણીસેનાનો નાશ કરી નાખીશ.
હું પણ રાજપૂત સમાજની જ છું. ઉલ્લેખનીય ચે કે કંગનાએ દાવો કર્યો છે કે તેની ફિલ્મને લઈને કરણીસેના દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે. તો મહારાષ્ટ્ર કરણીસેનાએ પણ ફિલ્મ નિર્માતાને પત્ર લખીને ચીમકી ઉચ્ચારી છે કે જો ફિલ્મમાં આપત્તિજનક દ્રશ્યો હશે તો પરિણામ ભોગવવા તૈયાર રહો. મહત્વની વાત છે કે આ ફિલ્મ રાણી લક્ષ્મીબાઈના જીવન પર આધારિત છે. જેનો કરણીસેનાએ વિરોધ કર્યો છે.
રાષ્ટ્રપતિએ પણ નિહાળી છે 'મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી'
અભિનેત્રી કંગના રનોતની ફિલ્મ 'મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી' ફિલ્મની 18 જાન્યુઆરીએના રોજ સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવી. શુક્રવારે યોજાયેલ આ સ્પેશિય સ્ક્રીનિંગમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ ફિલ્મ નિહાળી હતી.
રાષ્ટ્રપતિના ટ્વીટર એકાઉન્ટમાંથી આ સ્ક્રીનિંગના કેટલાક ફોટો શેર કરવામાં આવ્યાં હતા. આ દરમિયાન ફિલ્ના અભિનેતા-અભિનેત્રી ઉપસ્થિત જોવા મળી અને સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસુન જોશી પણ હાજર રહ્યાં હતા.
આ દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ઉપસ્થિત રહ્યાં હતા. ભારતના રાષ્ટ્રપતિના ટ્વિટર એકાઉન્ટમાંથી લખીને જણાવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ નિવાસમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઝાંસીની રાણી લક્ષ્મીબાઇના જીવન પર આધારિત ફિલ્મ મણિકર્ણિકા જોઇ. ત્યારબાદ ફિલ્મની અભિનેત્રી તેમજ ક્રૂનું સન્માન કરવામાં આવ્યું.