બૉલીવુડ ઍક્ટર પ્રકાશ રાજ સોશ્યલ મીડિયા પર ઘણાં એક્ટિવ રહે છે. પ્રકાશ રાજ બિન્દાસ પોતાનો મત રાખવા માટે જાણીતા છે અને દરેક મુદ્દા પર ખુલીને વાત કરતા દેખાતા હોય છે. આ દરમ્યાન પ્રકાશ રાજે ટ્વિટ કરીને બૉલીવુડની ક્વીન કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકારની વચ્ચે ચાલી રહેલા વિવાદ પર પ્રતિક્રિયા આપી છે.
ક્વીન કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકાર મુદ્દે પ્રકાશ રાજે આપી પ્રતિક્રિયા
પ્રકાશ રાજે કંગનાને ટાર્ગેટ કરતું એક મીમ શૅર કર્યુ અને તેની મજાક ઉડાવી
પ્રકાશ રાજે દ્વારા શૅર કરાયેલી મીમમાં લખ્યું છે કે કંગના જો એક ફિલ્મ કરીને પોતાની જાતને રાણી લક્ષ્મીબાઈ સમજવા લાગી છે તો તે હિસાબથી દિપીકા પાદુકોણ પદ્માવતી, રિતિક રોશન અક્બર, શાહરૂખ ખાન અશોક, અજય દેવગન ભગત સિંહ, આમિર ખાન મંગલ પાંડે અને વિવેક ઑબેરોય નરેન્દ્ર મોદી હોવા જોઈએ.
પ્રકાશ રાજેની આ ટ્વિટ પર યુઝર્સ પણ જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યાં છે. એક યુઝરે લખ્યું કે એ જરૂરી નથી કે તમે કેટલી ફિલ્મો અને કેટલાં પૈસા કમાયા છો. સત્ય એ વાત પર નિર્ભર કરે છે કે તમે મુદ્દાઓને કેટલી દૃઢતાથી સંબોધિત કરો છો. જો કંગનાએ પોતાનું મોં ખોલ્યુ ન હોત તો આપણે ડ્રગ માફિયાઓને ઓળખી ન શક્યા હોત જે જાણીતી હસ્તીઓના રૂપમાં કામ કરી રહી છે.
જ્યારે બીજા એક યુઝરે લખ્યું કે શ્રી પ્રકાશ રાજજી કંગનાએ નથી વિચારી રહી કે તે રાણી છે. એ તો લોકો છે કે તેને આ રૂપમાં જોવાનું પસંદ કરે છે. તમે આ સમયે પોતાના ફાર્મ હાઉસમાં હશો અને સવાર-સવારમાં 90mlનો આનંદ લેતા હશો. જો તમારા ઘરે કોઈ આવીને તોડફોડ કરવાની વાત કરે તો તમે શું કરશો?
Respected @prakashraaj,she lost her property,her hard earned house,
It's easy for you to compare movie characters,
What happens to you if your house is demolished
અન્ય એક યુઝરે કહ્યું કે મને લાગે છે તમને સાચા અર્થમાં મર્દનો અહેસાસ ત્યારે થશે જ્યારે કોઈ તમારા ઘરને તોડશે અને તમે સરકાર પર સવાલ ઊભાં કરશો ત્યારે લોકો તમારા વિશે ખરાબ જ બોલશે.
Y+ સિક્યોરિટી આપવા પર થયાં પ્રહાર
ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ પ્રકાશ રાજે કંગના રનૌતને Y+ સિક્યોરિટી આપવા પર પ્રહાર કર્યા હતાં. પ્રકાશ રાજે ઍરપોર્ટ પર સિક્યોરિટીમાં ચાલી રહેલી કંગનાની તસવીરની સાથે ચાલતા જઈ રહેલા પ્રવાસી શ્રમિકોની તસવીર શૅર કરી હતી અને લખ્યું હતું કે આ છે ન્યૂ ઈન્ડિયા.