બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે ફરી એકવાર પોતાના ટ્વિટને કારણે ચર્ચામાં આવી છે. 30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કંગનાએ નાથુરામ ગોડસે વિશે એક ટ્વીટ કર્યું હતું, જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થોડીવારમાં વાયરલ થઈ ગયું છે.
કંગના રનૌત ટ્વીટને લઈને બની ચર્ચાનો વિષય
નથુરામ ગોડસનો ફોટો ટ્વીટ કરીને લખી વાત
કેટલાક લોકોનું સમર્થન કેટલાકે દેશભક્તિ પર ઉભા કર્યા સવાલ
કંગના રનૌત આ ટ્વિટમાં ગોડસેના કિરદારને સારી રીતે પ્રકાશિત કરવાનો પ્રયાસ કર્યો છે. આ ટ્વિટ પછી, ટ્વિટર વપરાશકર્તાઓ બે જૂથોમાં વહેંચાયેલા જોવા મળે છે. જ્યારે ઘણા લોકો કંગના અને તેના સ્ટેન્ડની ખૂબ ટીકા કરી રહ્યા છે, તો ઘણા લોકો તેના મંતવ્યોનું સમર્થન પણ કરી રહ્યા છે.
કંગના રાનાઉતનું ટ્વીટ:
કંગના રનૌતે આ ટ્વીટમાં નથુરાન ગોડસેની તસવીરો શેર કરી છે. આ તસવીરો શેર કરતી વખતે કંગનાએ લખ્યું, "દરેક વાર્તામાં ત્રણ પાસા હોય છે, એક તમારી છે, એક મારી છે અને એક સાચી છે ... સારી વાર્તાકાર ન તો બાંધે છે અને ન કશું છુપાવે છે... અને તેથી જ આપણુ પુસ્તક નકામું છે ... માત્ર દેખાડો દરનારું છે."
આ ટ્વિટમાં કંગનાએ #NathuramGodse નો પણ ઉપયોગ કર્યો છે. 30 મી જાન્યુઆરીએ નાથુરામ ગોડસે રાષ્ટ્રપિતાને ગોળી મારીને હત્યા કરી હતી. આવી સ્થિતિમાં લોકો કંગનાની દેશભક્તિ પર પણ સવાલ ઉભા કરી રહ્યા છે.
Every story has three sides to it, yours, mine and the truth ....
A good story teller neither commits nor conceals... and that’s why our text books suck ... full of exposition #NathuramGodsepic.twitter.com/fLrobIMZlU
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગના રનૌત આજકાલ રાજકારણ પર આધારિત બીજી મોટી ફિલ્મમાં જોડાઈ છે. હકીકતમાં, એક તરફ કંગનાની ફિલ્મ 'થલાઇવી' રિલીઝ થશે, તો બીજી તરફ કંગના પણ દેશની પહેલી અને એકમાત્ર મહિલા વડા પ્રધાન ઈંદિરા ગાંધીની ભૂમિકા નિભાવતી જોવા મળશે.