કંગનાએ પરમવીર સિંહની ટ્રાંસફરની ખબર પર આજે ટ્વીટ કર્યું હતું, અને કહ્યું કે આ તે જ વ્યક્તિ છે જેને મુંબઈની સડકોની ઉપર મારા વિષયમાં અપમાનજનક આર્ટને પ્રોત્સાહિત કર્યું હતું.
મહારાષ્ટ્ર સરકારે લીધો નિર્ણય
મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંહની બદલી
બૉલીવુડ અભિનેત્રી કંગનાએ આપી પ્રતિક્રિયા
મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે આજે મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંહની બદલી કરી નાખી હતી અને તેમની જગ્યાએ આજે હેમંત નગરાલેએ આજે ચાર્જ સંભાળી લીધો હતો. પરમવીર સિંહની બદલી હોમગાર્ડ વિભાગમાં કરી નાખવામાં આવી છે, જેને લઈને બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌતે આજે પોતાની પ્રતિક્રિયા આપી હતી.
શું કહ્યું કંગના રનૌતે ?
કંગનાએ આ મામલે ટ્વીટ કરીને પરમવીર સિંહ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે આ એ જ વ્યક્તિ છે કે જેણે મુંબઈના રસ્તાઓ પર મારા વિષે અપમાનજનક આર્ટને પ્રોત્સાહન આપ્યું હતું અને જ્યારે મેં બદલો લીધો તો સોનિયા સેના દ્વારા તેનો બચાવ કરવામાં આવ્યો હતો, અને જેના બદલે તેમણે મારું ઘર તોડી નાખ્યું હતું, અને આજે જુઓ શિવસેનાએ તેને બહાર કાઢી નાખ્યો છે, આ શિવસેનાના અંતની શરૂઆત છે.
શા માટે થઇ છે બદલી ?
એન્ટિલિયા કેસમાં તપાસ આગળ વધી રહી છે તેની વચ્ચે જ ઉદ્ધવ સરકાર દ્વારા તેમની બદલીનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરમવીર સિંહની બદલીને તેમના ડિમોશનના રીતે હાલ જોવામાં આવી રહ્યો છે. હોમગાર્ડ વિભાગમાં બદલીએ કોઈ સજાની રીતે જોવામાં આવે છે, અને મહત્વનું છે કે થોડા દિવસો પહેલા મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો ભરેલી એક શંકાસ્પદ કાર મળવા પામી હતી.
કોણ છે પરમવીર સિંહ ?
આની પહેલા પરમવીર સિંહ થાણે જિલ્લામાં પોલીસ કમિશનર હતા અને ફેબ્રુઆરી 2020માં મુંબઈના પોલીસ કમિશનર તરીકે તેમને નિયુક્તિ આપવામાં આવી હતી, ત્યાર પછી સુશાંત સિંહ રાજપૂત કેસ વિવાદ, શિવસેના-કંગના વિવાદ અને છેલ્લે રિપબ્લિક ટીવીના ટીઆરપી વિવાદમાં તેમનું નામ પ્રચાર માધ્યમોની જીભે ચડી ગયું હતું. એની સિવાય માલેગાંવ બ્લાસ્ટને લઈને પણ ખાસ્સી પ્રસિદ્ધિ મેળવી હતી જ્યારે એટીએસ દ્વારા હાલના ભોપાલ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને અરેસ્ટ કરવામાં આવી હતી.
કેમ કરીને તૂટ્યું કંગના રનૌતનું ઘર ?
મુંબઈના પાલી હિલમાં આવેલું અભિનેત્રીનું ઘરનું તૂટવું ઘણું ચર્ચાસ્પદ બની ગયું હતું, જ્યારે કે કંગના અને મહારાષ્ટ્ર સરકારની વચ્ચે વિવાદ ચાલતો હતો ત્યારે બીએમસી દ્વારા તેની ઓફિસ તોડી પડાઈ હતી અને અવૈધ બાંધકામનો આરોપ લગાવાયો હતો. આ સમયે અભિનેત્રી ફલાઇટમાં હતી અને તે ઘણી રોષે ભરાઈ હતી.