બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે હમેશાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં છવાયેલી રહે છે. ત્યારે હાલમાં જ ખેડૂત આંદોલન અંગે તેના નિવેદનોને કારણે તેના વિરોધીઓના નિશાના પર આવી ગઈ છે. બિહારના ગયામાં કંગના વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે. રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના પ્રદેશ મહાસચિવે આ કેસ નોંધ્યો છે. આ વિશે માહિતી મળ્યા બાદ કંગનાએ બે ટ્વિટ કર્યા અને જણાવ્યું કે, લોકો શા માટે તેનાથી નફરત કરે છે. 'પંગા ક્વીન'એ કહ્યું કે હું હંમેશાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે પ્રામાણિક રહી છું, તેથી મોટાભાગના લોકો મારી વિરુદ્ધ છે.
કંગનાથી નફરત કરી રહ્યાં છે લોકો
એક્ટ્રેસે પોતે આ વાતનો કર્યો ખુલાસો
આ કારણથી કંગનાના વિરૂદ્ધ છે લોકો
હવે કંગનાએ પોતાની એક તસવીર સાથે એક ટ્વીટ કરીને કહ્યું કે હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લઈને હમેશાં પ્રામાણિક રહી છું, એટલે જ તેમાંના મોટાભાગના લોકો મારી વિરૂદ્ધ છે. મૈં અનામતનો વિરોધ કર્યો હતો તો મોટાભાગના હિન્દુઓ મારાથી નફરત કરવા લાગ્યા, મણિકર્ણિકાની રિલીઝ વખતે કરણી સેના સાથે લડાઈ થઈ તો રાજપૂતોએ મને ધમકી આપી હતી, હું ઈસ્લામિક કટ્ટરપંથીઓ વિરુદ્ધ બોલી તો મુસ્લિમો નફરત કરવા લાગ્યા, હું ખાલિસ્તાનીઓ વિરૂદ્ધ બોલી તો હવે મોટાભાગના સીખ લોકો મારી વિરુદ્ધ થયા છે.
I have been honest about the film industry so most of them are against me, I opposed reservations most Hindus hate me, during Manikarnika’s release I fought with Karni Sena so Rajputs threatened me as well, I oppose Islamists many Muslims hate me, I fought with Khalistanis... 1/2 pic.twitter.com/2Eu4RENQWm
So now most Sikhs are against me, my well wishers tell me no political party likes a vote repellent like me, so clearly no political party appreciates me, most of you wonder why I do what I do. Well in a world beyond this world in the world of my CONSCIENCE I am appreciated ❤️
કંગનાએ વધુ એક ટ્વિટમાં લખ્યું કે, મારા શુભેચ્છકો કહે છે કે મારા જેવી વ્યક્તિને કોઈપણ પાર્ટી પસંદ કરતી નથી. જેથી કોઈપણ રાજકીય દળ મારી પ્રસંશા નહીં કરે. તમારામાંથી ઘણાં લોકોને આશ્ચર્ય થતું હશે કે હું આવું શા માટે કરું છું. એનો જવાબ એ છે કે આ દુનિયાથી અલગ પણ એક દુનિયા છે જ્યાં મારી અંતરાત્મા છે. ત્યાં મારી પ્રસંશા થાય છે. હકીકતમાં સિવિલ કોર્ટમાં નોંધાયેલી ફરિયાદમાં રાલોસપાના રાજ્ય મહાસચિવ વિનય કુશવાહાએ આરોપ લગાવ્યો છે કે અભિનેત્રી કંગનાએ પક્ષના વડા ઉપેન્દ્ર કુશવાહાના ફોટા પર તેના ટ્વિટર એકાઉન્ટ પરથી વાંધાજનક ટિપ્પણી કરી હતી. જેથી તેમણે ટ્વિટ કરીને કંગના પર નિશાન સાધ્યું હતું.
ઉપેન્દ્ર કુશવાહાએ કંગના વિરૂદ્ધ રાલોસપાની જૂની એક ચૂંટણી સભાની તસવીરનો દુરૂપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે ઉપેન્દ્ર કુશવાહાએ પૂછ્યું હતું કે શું આવું કરવાથી કંગનાને રાજકરણમાં પ્રવેશ મળી જશે? તમને જણાવી દઈએ કે રાલોસપાની ચૂંટણી બેઠકનો ફોટો યો યો ફની સિંહ નામના ટ્વિટર એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો હતો. આ ટ્વિટર એકાઉન્ટ પરથી આ તસવીરમાં દેખાતા નેતાઓને જુદા જુદા નામથી સંબોધવામાં આવ્યા હતા. આ નેતાઓને લુટિઅન્સ લિબરલ, જેહાદ, આઝાદ કાશ્મીર, અર્બન નક્સલ, કમ્યુનિસ્ટ અને ખલિસ્તાન જેવા નામોથી સંબોધવામાં આવ્યા હતા.