કંગના રનૌત અવારનવાર પોતાની પર્સનલ લાઈફથી જોડાયેલી બાબતો ફેન્સ સાથે શેર કરતી રહી છે. ત્યારે તેણે આઠમનો ઉપવાસ રાખ્યો હતો અને પ્રસાદની થાળીનો ફોટો શેર કર્યો, જેને જોઈ યુઝર્સ ભડક્યા.
કંગના રનૌત સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે
કંગનાએ આઠમનો ઉપવાસ રાખ્યો હતો
પ્રસાદની થાળી શેર કરતા ટ્રોલ થઈ કંગના
કંગના તેના બેબાક નિવેદનોને કારણે સતત ચર્ચામાં રહે છે. ત્યારે તેની દરેક પોસ્ટ યુઝર્સનું ધ્યાન આકર્ષિત કરે છે. જોકે, ઘણી વખત કંગના તેની પોસ્ટને કારણે ટ્રોલ પણ થાય છે. અત્યારે પણ એવું જ કંઈક થયું છે. એક્ટ્રેસે દુર્ગાષ્ટમીના અવસર પર ફેન્સ સાથે એક પોસ્ટ શેર કરી જેમાં તેણે પ્રસાદની થાળીનો ફોટો શેર કર્યો છે. જેમાં ડુંગળી પણ જોવા મળી રહી છે. જ્યારે યુઝર્સની થાળી પર નજર ગઈ તો તેમણે ડુંગળીને કારણે કંગનાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.
Can’t believe #Onion is one of the top trends. Well this is not to hurt anyone but the beauty of Hinduism is that it’s not rigid like other religions,let’s not ruin that,I am fasting today if my family wants to eat salad with parsadam let’s not ridicule them #Onion#navratri2021https://t.co/ghBppqdHQl
પ્રસાદની થાળીને કારણે કંગના ખૂબ જ ટ્રોલ થઈ. કેટલાક યુઝર્સે તેને હિન્દુ વિરોધી સુધ્ધા કહી નાંખી. એક યુઝરે લખ્યું- આ પ્રસાદનો અલગ દેખાઈ રહ્યો છે. હિન્દુઓએ નવરાત્રિમાં ડુંગળી ખાવાનું ક્યારથી શરૂ કરી દીધું. અન્ય યુઝરે લખ્યું- નવરાત્રિનો પહેલો નિયમ છે લસણ અને ડુંગળી ખાવાનું છોડી દેવું અને આ ઉપવાસમાં જ ખાઈ રહી છે.
ટ્રોલ થયા પછી અભિનેત્રીએ તેની સ્પષ્ટતામાં વધુ એક ટ્વિટ કર્યું અને લખ્યું, 'વિશ્વાસ નથી થતો કે ડુંગળી ટોપ ટ્રેન્ડમાં આવી ગઈ. આ કોઈને નારાજ કરવા માટે નહોતું. હિન્દુઓની સુંદરતા એ છે કે તે અન્ય ધર્મોની જેમ કટ્ટર નથી. તેની સુંદરતા બગાડો નહીં. મૈં આજે ઉપવાસ રાખ્યો છે, પરંતુ જો મારો પરિવાર પ્રસાદ સાથે કચુંબર ખાવા માંગે છે, તો તેમનું મજાક ન ઉડાવો.
કંગનાના વર્કફ્રંટની વાત કરીએ તો તેની આગામી ફિલ્મ થલાઈવી કોરોનાના વધતા કેસોને કારણે પોસ્ટપોર્ન કરી દેવામાં આવી છે. અગાઉ આ ફિલ્મ 23 એપ્રિલે થિયેટરોમાં રિલીઝ થવાની હતી. આ સિવાય કંગના તેજસ, ધાકડ, મણિકર્ણિકા રિટન્સ જેવી ફિલ્મોમાં જોવા મળશે.