તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના જીવન પર આધારિત 'થલાઈવી' 10 સપ્ટેમ્બરથી સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.
કંગનાની ફિલ્મ ફરી વિવાદમાં
મલ્ટીપ્લેક્સમાં રિલિઝનો ઈનકાર
ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
અભિનેત્રી કંગના રનૌત એ વાતથી દુઃખી છે કે તેની ફિલ્મ 'થલાઈવી'ને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે ત્રણ રાષ્ટ્રીય મલ્ટીપ્લેક્સ શ્રેણીમાં કથિત રીતે ફિલ્મને રિલઝ ન કરવાનો નિર્ણય કર્યો છે. જે 10 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. કંગનાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક સમાચાર લેખ શેર કર્યો હતો જેમાં 'થલાઈવી'ને રિલિઝ ન કરવાને લઈને રાષ્ટ્રીય મલ્ટીપ્લેક્સ શ્રેણી વિશે વાત કરી હતી.
તેમણે તેને કેપ્શન આપ્યું હતું, "આવા સમયમાં આપણે એક બિજાનું સમર્થન કરવું જોઈએ અને આ ધમકાવવા અથવા હાથ જોડવાનો સમય નથા. અમારી ફિલ્મોનો ખર્ચ વસુલ કરવો અમારી માલિકીનો હક છે. તેમ છતાં મલ્ટીપ્લેક્સ અમારી વિરૂદ્ધ છે અને ત્યાં પણ રિલીઝને રોકી રહ્યા છે."
કંગનાએ તેને 'અનુચિત અને ક્રૂર' જાહેર કર્યું છે. તેણે જણાવ્યું કે, આ મુશ્કેલ સમયમાં જ્યારે મહારાષ્ટ્ર જેવા પ્રમુખ ક્ષેત્ર પણ બંધ છે. કૃપા સિનેમાઘરોને બચાવવા માટે એક બીજાની મદદ કરો.
શનિવારે સવારે તેમણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક મેસેજ શેર કર્યો હતો. તેમાં તેણે આ વિશે જણાવ્યું હતું કે કેઈ રીતે, 'મોટા નાયકો અને ફિલ્મોની વાત કરીએ તો મલ્ટીપ્લેક્સના અલગ અલગ નિયમો છે.'