બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત તેના વિવાદાસ્પદ નિવેદનોને કારણે હમેશાં ચર્ચામાં રહે છે. સાથે જ તે વિવાદાસ્પદ વિષયો પર પણ બેબાકીથી પોતાના વિચારો વ્યક્ત કરતી હોય છે. ત્યારે હાલમાં જ તેણે આમિર ખાન પર કટાક્ષ કરતા કહ્યું, તેમના બાળકોએ માત્ર ઈસ્લામ ધર્મનું જ પાલન કરવું જોઈએ.
કંગનાએ આમિર ખાન પર કર્યા પ્રહારો
આમિરનો જૂનો વીડિયો શેર કરી ધર્મનિરપેક્ષતા પર ઉઠાવ્યા સવાલો
કંગના હમેશાં તેના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે
હકીકતમાં આમિર ખાન હાલમાં તુર્કીમાં ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ કરી રહ્યો છે. અમે તે તુર્કીના રાષ્ટ્રપતિની પત્ની એમીન અર્દોઆનને મળ્યો હતો. તુર્કીની પ્રથમ મહિલા એમીને આમિર ખાન સાથેની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. આ મુલાકાત બાદથી આમિર ખાને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સે પણ આમિર ખાનને ટ્રોલ કર્યો હતો.
Hindu + Muslim = Muslim
Yeh toh kattarpanthi hai,outcome of a marriage is not just a blend of genes and cultures but even religions. Bachchon ko Allah ki ebadat bhi seekhayein aur Shri Krishn ki Bhakti bhi, yehi secularism hai na? @aamir_khan https://t.co/qo1ZOLNR7K
કંગના રનૌતની ટીમે ટ્વિટર પર આમિર ખાનનો એક જૂનો ઈન્ટરવ્યૂ શેર કર્યો છે. જેમાં આમિર ખાન તેની પર્સનલ લાઈફ વિશે જણાવતા કહી રહ્યો છે કે, તેના બાળકો હિન્દુ હોવા છતાં ઈસ્લામનું જ પાલન કરશે. કંગનાની ટીમે આ ઈન્ટરવ્યૂની લિંક શેર કરી આમિરની ધર્મનિરપેક્ષતા પર સવાલ ઉઠાવ્યા છે.
કંગનાની ટીમે લખ્યું- હિંદુ + મુસ્લિમ = મુસ્લિમ. આ તો કટ્ટરપંથી છે, લગ્ન માત્ર જીન્સ અને સંસ્કૃતિને જ ભેગાં નથી કરતા પરંતુ ધર્મને પણ ભેગાં કરે છે. બાળકોને અલ્લાહની ઈબાદત શીખવાડો અને શ્રીકૃષ્ણની ભક્તિ પણ. આ જ સેક્યુલારિઝમ છે?
@aamir_khan आप तो सबसे ज़्यादा टॉलरंट थे आप कबसे हिंदूइज़म केलिये इंटॉलरंट हो गए? हिंदू माताओं की संतानें जिनकी रागों में श्री कृशन और श्री राम का खून बह रहा है,सनातन धर्म, भारतीय शभ्यता, यहाँ की संस्कृति जिनकी धरोहर है, वो सिर्फ़ और सिर्फ़ इस्लाम को फ़ॉलो करेंगे, ऐसा क्यूँ?
વધુ એક ટ્વીટમાં કંગનાની ટીમે કહ્યું- તમે તો સૌથી વધુ ટોલરન્ટ હતા, તમે ક્યારથી હિન્દુઈઝમ માટે ઈન્ટોલરન્ટ થઈ ગયા. હિંદુ માતાઓની સંતાનોની રગોમાં શ્રીકૃષ્ણ તથા શ્રીરામનું લોહી વહે છે. સનાતન ધર્મ, ભારતીય સભ્યતા, અહીંની સંસ્કૃતિ જેનો વારસો છે, તે માત્ર ઈસ્લામને ફોલો કરે છે, એવું કેમ?
વર્કફ્રંટની વાત કરીએ તો કંગનાની છેલ્લી ફિલ્મ પંગા હતી. જે બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ દેખાડી શકી નહીં. હવે તે તમિલનાડુના દિવંગત મુખ્યમંત્રી જયલલિતાની બાયોપિકમાં જોવા મળશે. આ ફિલ્મનું નામ થલાઈવી છે.