ધાર્મિક મુદ્દો હોય કે સામાજીક કંગના પોતાની વાત ખુલીને કરે છે. છેલ્લા થોડા દિવસોથી કંગના ખેડૂત આંદોલનને લઇને ટ્વિટ કરી રહી છે. પોતાનો ઓપીનીયન આપીને તે ઘણા વિવાદોમાં પણ ઘેરાઇ હતી પરંતુ તેમ છતાં તે પાછી નહોતી હટી. હાલમાં જ કંગનાએ રિંકુ શર્મા હત્યાકાંડને લઇને અરવિંદ કેજરીવાલ પર નિશાનો સાધ્યો છે. કંગનાએ એક ટ્વિટ કર્યુ છે અને કેજરીવાલને સલાહ આપી દીધી છે.
કંગનાએ પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, ડિયર અરવિંદ કેજરીવાલજી, હું વાસ્તવમાં આશા કરુ છુ કે તમે રિંકુ શર્માના પરિવારને મળો અને તેમનુ સમર્થન કરશો, તમે એક સારા નેતા છો. મને આશા છે કે તમે સારા રાજનીતિજ્ઞ પણ બનશો. કંગનાએ કેજરીવાલને ઓક્ટોબર 2015ની એક ટ્વિટને રિટ્વિટ કરતા આ વાત કહી હતી. અરવિંદ કેજરીવાલે આ ટ્વિટ અખલાકને લઇને કરી હતી.
Dear @ArvindKejriwal ji I really hope you meet Rinku Sharma’s family and support them also, you are a politician hope you become a statesman also. https://t.co/SpPyKWYUnZ
બીફ ખાવાની અફવાને લઇને અખલાકની મારી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. તેની હત્યા કર્યા બાદ મોટો બવાલ થયો હતો. જે બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમના પરિવારજનોને મળ્યા હતા અને ઉત્તરપ્રદેશ ગયા હતા. એવામાં કંગનાએ આશા જતાવી છે કે તે રિંકુ શર્માના પરિવારને પણ મળવા જશે. તે રિંકુ શર્માના પરિવારને મળવા જશે અને બનતી દરેક મદદ પણ કરશે.
કોણ છે રિંકુ શર્મા
મહત્વનું છે કે રિંકુ શર્માની હત્યા બાદ સમગ્ર દેશમાં રાજનીતિ ગરમાઇ છે. કેટલાક લોકો આ મામલાને સાંપ્રદાયિકતા બતાવી રહ્યાં છે કારણકે રિંકુ શર્મા રામ મંદિર માટે ફંડ એકત્ર કરી રહ્યો હતો અને રામયાત્રા સાથે જોડાયેલો હતો. આ મુદ્દે વ્યવસ્થિત તપાસ થાય તેની માગ ઉઠી રહી છે. હવે એક્ટ્રેસ કંગના રનૌત પણ આ મુદ્દે સક્રિય થઇ ગઇ છે.