એક્ટ્રેસ કંગના રનૌત હંમેશા પોતાના વિવાદસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તેણે ઘણાં મુદ્દાઓ પર કોઈની પરવા કર્યા વિના પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા છે. ત્યારે તેણે હાલમાં જ દેશભરમાં ચાલી રહેલાં નાગરિકતા સંશોધન કાયદા સામે અંગે પ્રતિક્રિયા આપી. આમ તો બોલિવૂડ સ્ટાર્સ પણ આ કાયદા સામે અવાજ ઉઠાવી ચૂક્યા છે. પણ હવે કંગનાએ પણ કાયદા અંગે નિવેદન આપ્યું.
CAA પ્રોટેસ્ટ પર કંગનાએ આપી પ્રતિક્રિયા
ટેક્સ ભરવાને લઈને કહી આ વાત
આ પહેલાં પણ બોલિવૂડ સ્ટાર્સ પર સાધ્યું હતું નિશાન
CAA પ્રોટેસ્ટ પર શું બોલી કંગના?
કંગનાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને કહ્યું, જ્યારે તમે પ્રોટેસ્ટ કરો છો ત્યારે સૌથી અગત્યની બાબત એ છે કે કોઈએ પણ હિંસક બનવું જોઈએ નહીં. આપણી પોપ્યુલેશનમાં 3-4 ટકા લોકો જ ટેક્સ ભરે છે અને અન્ય લોકો તેમની પર જ નિર્ભર છે. તો તમને બસ, ટ્રેન સળગાવવાનો અને આટલો હંગામો મચાવવાનો અધિકાર કોણે આપ્યો?
Kangana Ranaut on #CitizenshipAct: When you protest, the first thing that's imp is that you don't turn violent. In our population, only 3-4% ppl pay tax, others are actually dependent on them. So, who gives you the right to burn buses, trains & to create ruckus in the country? pic.twitter.com/NOUgiHGWhT
આ પહેલાં પણ કંગનાએ બોલિવૂડ સ્ટાર્સ પર નિશાન સાધ્યું હતું અને તેમની ચુપ્પી અંગે સવાલ કર્યો હતો. જાણીતા સમાચાર પત્ર સાથેની વાતચીત દરમિયાન કંગનાએ કહ્યું હતું કે, 'બધાં એક્ટર્સને શરમ આવવી જોઈએ. મને એ વાતમાં કોઈ શંકા નથી કે તે બધાં કાયર છે અને ફક્ત પોતાના વિશે જ વિચારે છે. આ લોકો આખો દિવસ પોતાની જાતને અરીસામાં જુએ છે અને પછી પૂછે છે કે જ્યારે આપણી પાસે બધી સુવિધાઓ છે ત્યારે આપણે દેશ વિશે વિચારવાની જરૂર છે. તેમાંથી ઘણા સ્ટાર્સ તેમના કમ્ફર્ટ ઝોનમાં રહેવાનું પસંદ કરે છે.'
કંગનાના વર્કફ્રંટની વાત કરીએ તો તે ફિલ્મ 'પંગા' અને 'થલાઈવી'માં જોવા મળશે. પંગાનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. પંગામાં તે કબડ્ડી ખેલાડી બની છે. જ્યારે થલાઈવીમાં તેણે તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાનો રોલ પ્લે કર્યો છે. આ ફિલ્મ જયલલિતાની બાયોપિક છે. આ ફિલ્મ 26 જૂન 2020એ રિલીઝ થશે.