મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર વિરુદ્ધ સતત હુમલો કરનાર કંગના રનૌતને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ફ્લેટમાં અનધિકૃત નિર્માણને તોડી પાડવાના મુદ્દે કંગનાએ કરેલી અરજીને કોર્ટે રદ્દ કરી દીધી છે. કોર્ટે કહ્યું કે, કંગનાએ નિયમોનું ઉલ્લંઘન કરીને ત્રણ ફ્લેટને જોડીને મર્જ કરી દીધા છે. આ વાત પર કંગનાનું નિવેદન સામે આવ્યુ છે.
કંગના કા અંગના કેસ
કંગનાએ મહારાષ્ટ્ર સરકાર માટે કહી મોટી વાત
એક્ટ્રેસને આપવામાં આવી હતી નોટિસ
Fake propaganda by Mahavinashkari government, I haven’t joined any flats, whole building is built the same way, one apartment each floor, that’s how I purchased it, @mybmc is only harassing me in the entire building. Will fight in higher court 🙏 https://t.co/4VBEgcVXf3
કંગનાએ ટ્વિટ કર્યું કે આ મહાવિનાશકારી સરકારનો ફેક પ્રોપેગેન્ડા છે. મે કોઇ ફ્લેટને જોડ્યા નથી અને બિલ્ડીંગ જ આ રીતે બનેલી છે. દરેક ફ્લોર પર એક અપાર્ટમેન્ટ છે અને મે એમ જ આ ફ્લેટ ખરીદ્યો હતો. બીએમસી મારી સંપૂર્ણ બિલ્ડીંગમાં પ્રતાડિત કરી રહી છે.
મુંબઈની એક કોર્ટે અભિનેત્રી કંગના રનૌત ની અરજીને નામંજૂર કરી દીધી છે જેમાં BMC ની કાર્યવાહીથી વચગાળાની રાહત માંગવામાં આવી છે.
આ મામલે મુંબઇની એક અદાલતે કહ્યું છે કે અભિનેત્રી કંગના રનૌત એ ખારમાં પોતાનું ઘર બનાવવા જતાં જે સર્વમાન્ય નકશો છે તેનું ઉલ્લંઘન કર્યું છે. કોર્ટે BMC ની કાર્યવાહીથી વચગાળાની રાહતની માંગણી કરતી અભિનેત્રીની અરજીને ફગાવી દીધી હતી.
BMC દ્વારા અનેક નોટિસો આપવામાં આવી
હિન્દુસ્તાન ટાઇમ્સ પર પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ કંગના રનૌતે BMC દ્વારા આપવામાં આવેલી નોટિસની વિરુદ્ધ સિવિલ કોર્ટમાં અરજી કરી હતી. BMC દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે કંગના રનૌત એ મકાનમાં થયેલા ગેરકાયદે બાંધકામો હટાવવા પડશે. આ સિવાય BMC તરફથી ત્રણ ફ્લેટને એક યુનિટમાં ફેરવવાના મામલે પણ વાત કરવામાં આવી હતી. BMC એ કહ્યું હતું કે કંગનાએ ત્રણ ફ્લેટને એક યુનિટમાં ફેરવીને નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું અને કોર્ટે આ વાતને સ્વીકારી હતી.
કંગનાના વકીલે કહ્યું - ઉલ્લંઘન સ્પષ્ટ રીતે જણાવ્યું નથી
કંગનાના વકીલ રિઝવાન સિદ્દીકીએ કોર્ટમાં કહ્યું કે BMC દ્વારા આપવામાં આવેલી નોટિસમાં ઉલ્લંઘન કરાઈ હોય તે બાબતોનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. BMC ના વકીલ ધર્મેશ વ્યાસે કહ્યું - નોટિસ ફટકારતા પહેલા એક ઇજનેરે BMC વતી મકાનનો સર્વે કર્યો હતો. ઇજનેરે આ મામલે અલગ અલગ 8 ઉલ્લંઘન થઈ હોય તેવી બાબતોનો ઉલ્લેખ કર્યો છે.
ધર્મેશ વ્યાસની દલીલોને પગલે કોર્ટે કંગના રનૌત ને વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું હતું કે 8 માર્ચ 2013 ના રોજ આ સંપત્તિની ખરીદી દરમિયાન આવા ઉલ્લંઘન કરવામાં આવ્યા ન હતા, જેનો અર્થ છે કે આ બાંધકામો કંગનાએ જ કર્યા છે.