બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત તેના નિવેદનો માટે જાણીતી છે. કંગના કોઇ પણ મુદ્દે તેનું નિવેદન આપી દે છે અને લગભગ તેની નજર દરેક મુદ્દા પર રહે છે. બોલિવૂડથી રાજનીતિ દરેક વસ્તુની તેને જાણકારી હોય છે અને તેના પર તે રિએક્શન પણ આપે છે. આજે સરદાર વલ્લભભાઇ પટેલ જયંતિ પર તેમને યાદ કર્યા છે.
કંગના રનૌતે આપ્યુ નિવેદન
સરદાર પટેલનો આ નિર્ણય અયોગ્ય
ગાંધીને ખુશ કરવા લીધો નિર્ણય
He sacrificed his most deserving and elected position as the First Prime Minister of India just to please Gandhi because he felt Nehru spoke better English, #SardarVallabhbhaiPatel did not suffer but Nation suffered for decades,we must shamelessly snatch what is rightfully ours. pic.twitter.com/TGxcOlDB3K
જો કે, કંગનાએ સરદાર પટેલ જયંતિ માટે કેટલીક એવી વાતો કહી છે કે લોકો પણ હેરાન થઇ ગયા છે. વલ્લભ ભાઇ પટેલ જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને ટ્વિટ કરીને ગાંધીજી તેમજ નેહરુની આલોચના પણ કરી હતી.
ગાંધીને ખુશ કરવા પટેલે છોડ્યુ પદ
કંગનાએ ટ્વિટ કરીને લખ્યું કે, તેમણે ગાંધીને ખુશ કરવા માટે ભારતના પહેલા પ્રધાનમંત્રીનું પદનું બલિદાન આપ્યું હતુ. ગાંધીને લાગતુ હતુ કે પટેલ તેમના કરતા વધારે સારુ અંગ્રેજી બોલે છે માટે પદ ત્યાગ્યુ. તેનાથી સરદાર પટેલ જ નહી સમગ્ર દેશને દશકો સુધી ભોગવવુ પડ્યું. આપણે તે બેશર્મીથી છીનવી લેવું જોઇએ તે આપણું છે.
He sacrificed his most deserving and elected position as the First Prime Minister of India just to please Gandhi because he felt Nehru spoke better English, #SardarVallabhbhaiPatel did not suffer but Nation suffered for decades,we must shamelessly snatch what is rightfully ours. pic.twitter.com/TGxcOlDB3K
બીજી એક ટ્વિટમાં કંગનાએ લખ્યું કે, તે ભારતના અસલી લોખંડી પુરુષ હતા, મારુ માનવું છે કે ગાંધીજી નેહરુ જેવું કમજોર મગજ ઇચ્છતા હતા જેથી તેમના નિયંત્રણમાં રહી શકે અને આગળ પણ નિર્ણય કરી શકે. આ એક સારી યોજના હતી પરંતુ ગાંધીના મૃત્યુ પછી જે થયુ તે ખુબ મોટી વિપદા હતી.
નોંધનીય છે કે, લોખંડી પુરુષ સરદાર વલ્લભ ભાઇ પટેલની આજે એટલે કે 31 ઓક્ટોબરે 145મી જન્મજયંતિ છે, જેને સમગ્ર દેશ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવે છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા હતા અને પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. કંગના રનૌતે આ પહેલા પણ ઘણા નિવેદન આપ્યા છે અને તે કોઇ પણ પ્રકારનું નિવેદન આપતા ખચકાતી નથી. આ ટ્વિટનો જવાબ કોણ અને ક્યારે તેને આપશે તે સમય જ બતાવશે.