Kangana Ranaut: કંગના રણૌત ઘણી વખત ભગવાનના દર્શન માટે અલગ અલગ મંદિરોમાં જાય છે. હરિદ્વારથી પહેલા કંગના રાજસ્થાન ઉદયપુરના શ્રીનાથજી મંદિરમાં પૂજા અર્ચના કરવા પહોંચી હતી.
ખૂબ જ ધાર્મિક છે કંગના રણૌત
હરિદ્વાર અને શ્રીનાથજીના દર્શને પહોંચી હતી કંગના
લોકસભા ચૂંટણીને લઈને કંગનાએ આપ્યું નિવેદન
બોલિવુડ એક્ટ્રેસ કંગના રણૌત પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાના નિવેદનોના કારણે પણ ચર્ચામાં રહે છે. હાલમાં જ કંગના હરિદ્વાર પહોંચી. જ્યાં તેમણે ઘણા મંદિરોમાં દર્શન કર્યા. આ સમયે કંગના રણૌતે દેશમાં 2024માં થવા જઈ રહેલી લોકસભા ચૂંટણી પર પણ ખુલીને વાત કરી હતી. બોલિવુડ હોય કે રાજનીતિનો મુદ્દો, કંગના રણૌત દરેકમાં પોતાની વાત મુકે છે. એવામાં જ્યારે તેને 2024માં થવા જઈ રહેલી લોકસભા ચૂંટણીને લઈને સવાલ કરવામાં આવ્યો તે તેણે જવાબ આપ્યો.
मेरी बहुत इच्छा थी कि मैं केदारनाथ जाऊं और मैं वहां जाऊंगी। मैं वह सब जगह जाऊंगी जो मशहूर हैं (जिस गुफा में PM मोदी गए थे के सवाल पर)... 2024 को लेकर उत्सुकता है और मुझे लगता है कि 2024 में भी वही होगा जो 2019 में हुआ था: बॉलीवुड अभिनेत्री कंगना रनौत (30.04) pic.twitter.com/TZzLT4B7KZ
2024 લોકસભા ચૂંટણી
કંગના રણૌતે લોકસભા ચૂંટણી પર પોતાની વાત મુકતા કહ્યું, "ચૂંટણીને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સુકતા છે. પરંતુ 2024માં ફરીથી એજ થશે જે 2019માં થયું હતું." જણાવી દઈએ કે કંગના રણૌત ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મોટી ફેન છે અન સોશિયલ મીડિયા પર પણ તે ઘણી વખત તેમને સપોર્ટ કરી ચુકી છે.
2019ની લોકસભા ચૂંટણીમાં બીજેપીના ગઠબંધન NDAની કુલ 253 સીટ જીતીને સત્તામાં વાપસી કરી હતી. એવામાં કંગનાનું માનવું છે કે એક વખત ફરી વર્ષ 2024માં લોકસભા ચૂંટણીમાં એક વખત ફરી NDAની સરકાર બની શકે છે.
કેદારનાથ જશે કંગના
કંગના રણૌતે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેની ઈચ્છા છે કે તે કેદારનાથ જશે. તેની સાથે જ તે એ ગુફામાં પણ જશે જ્યાં PM નરેન્દ્ર મોદીએ ધ્યાન લગાવ્યું હતું. હરિદ્વારમાં કંગના રણૌતે દક્ષિણ કાળી મંદિરમાં પૂજા કરી અને ત્યાં જ ગંગા આરતીમાં ભાગ લીધો હતો.
જણાવી દઈએ કે કંગના રણૌતે હાલમાં જ પોતાની મચ અવેઈટેડ ફિલ્મ 'ઈમરજન્સી'ની શૂટિંગ પુરી કરી છે. આ ફિલ્મમાં કંગના રણૌત ભારતની દિવંગત પૂર્વ પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીની ભુમિકા નિભાવી રહી છે. ફિલ્મનું નિર્દેશન પણ કંગના રણૌતે કર્યું છે. કંગનાની સાથે આ ફિલ્મમાં અનુપમ ખેર, શ્રેયસ તલપડે, પરેશા રાવલ અને મહિમા ચૌધરી મહત્વની ભુમિકામાં છે.